હવે માત્ર 59 મિનિટમાં મળશે 1 કરોડ રૂપિયાની લોનઃ પિયુષ ગોયલ
કેન્દ્ર સરકારે પોતાના વચગાળાના બજેટમાં તમામ મોટા એલાન કર્યા છે. આમાં એક મોટુ એલાન કર્યુ છે કે હવે લોકો માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે.
કેન્દ્ર સરકારે પોતાના વચગાળાના બજેટમાં તમામ મોટા એલાન કર્યા છે. આમાં એક મોટુ એલાન કર્યુ છે કે હવે લોકો માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે એ વાતનું એલાન કર્યુ કે હવે માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકાશે. ગોયલે કહ્યુ કે સરકારે એ વાતનું ધ્યાન રાખ્યુ છે કે લોકોને બેંકમાંથી લોન લેવામાં કોઈ મુશ્કેલી ન થાય, તંત્રને ગ્રાહકોના હિસાબે સારુ અને સરળ કરવામાં આવ્યુ છે.

બેંકિંગ સેક્ટર થશે સુદ્રઢ
પિયુષ ગોયલે કહ્યુ કે હજુ સુધી કુલ ત્રણ લાખ કરોડ રૂપિયા બેંકો અને લોનદાતાઓ માટે જમા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે મોટા ડિફોલ્ટર્સને પણ છોડ્યા નથી, અમારી સરકારમાં આના માટે મહત્વના પગલા લેવામાં આવ્યા છે. ગોયલે કહ્યુ કે આવનારા સમયમાં અમને એ વાતનો પૂરો ભરોસો છે કે બેંકિંગ સેક્ટરની સ્થિતિ સારી થશે. એટલુ જ નહિ આ સાથે બેંકોના 2.6 લાખ કરોડ રૂપિયાનું રિકેપિટલીઝેશન કરવામાં આવ્યુ છે. સરકારે આના માટે રિક્ગનિશન, રિઝોલ્યુશન, રિકેપિટલાઈઝેશન અને રિફોર્મ એટલે કે ઓળખ, સંકલ્પ, પુનઃ પુંજીકરણને આધાર બનાવવામાં આવ્યુ છે.
મધ્યમ વર્ગને મોટી રાહત
આ સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મધ્યમ વર્ગના લોકોને પણ મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગના લોકો જેમની આવક પાંચ લાખ રૂપિયા સુધીની છે તેમને કર મુક્ત કરવામાં આવ્યા છે. સરકારના આ એલાન બાદ સંસદની વચ્ચે ભાજપ સાંસદોએ મોદીની ખૂબ પ્રશંસા કરી અને સંસદમાં મોદી-મોદીના સૂત્રોચ્ચાર કર્યા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
