હવે માત્ર 59 મિનિટમાં મળશે 1 કરોડ રૂપિયાની લોનઃ પિયુષ ગોયલ
કેન્દ્ર સરકારે પોતાના વચગાળાના બજેટમાં તમામ મોટા એલાન કર્યા છે. આમાં એક મોટુ એલાન કર્યુ છે કે હવે લોકો માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે.
કેન્દ્ર સરકારે પોતાના વચગાળાના બજેટમાં તમામ મોટા એલાન કર્યા છે. આમાં એક મોટુ એલાન કર્યુ છે કે હવે લોકો માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે એ વાતનું એલાન કર્યુ કે હવે માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકાશે. ગોયલે કહ્યુ કે સરકારે એ વાતનું ધ્યાન રાખ્યુ છે કે લોકોને બેંકમાંથી લોન લેવામાં કોઈ મુશ્કેલી ન થાય, તંત્રને ગ્રાહકોના હિસાબે સારુ અને સરળ કરવામાં આવ્યુ છે.
બેંકિંગ સેક્ટર થશે સુદ્રઢ
પિયુષ ગોયલે કહ્યુ કે હજુ સુધી કુલ ત્રણ લાખ કરોડ રૂપિયા બેંકો અને લોનદાતાઓ માટે જમા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે મોટા ડિફોલ્ટર્સને પણ છોડ્યા નથી, અમારી સરકારમાં આના માટે મહત્વના પગલા લેવામાં આવ્યા છે. ગોયલે કહ્યુ કે આવનારા સમયમાં અમને એ વાતનો પૂરો ભરોસો છે કે બેંકિંગ સેક્ટરની સ્થિતિ સારી થશે. એટલુ જ નહિ આ સાથે બેંકોના 2.6 લાખ કરોડ રૂપિયાનું રિકેપિટલીઝેશન કરવામાં આવ્યુ છે. સરકારે આના માટે રિક્ગનિશન, રિઝોલ્યુશન, રિકેપિટલાઈઝેશન અને રિફોર્મ એટલે કે ઓળખ, સંકલ્પ, પુનઃ પુંજીકરણને આધાર બનાવવામાં આવ્યુ છે.
મધ્યમ વર્ગને મોટી રાહત
આ સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મધ્યમ વર્ગના લોકોને પણ મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગના લોકો જેમની આવક પાંચ લાખ રૂપિયા સુધીની છે તેમને કર મુક્ત કરવામાં આવ્યા છે. સરકારના આ એલાન બાદ સંસદની વચ્ચે ભાજપ સાંસદોએ મોદીની ખૂબ પ્રશંસા કરી અને સંસદમાં મોદી-મોદીના સૂત્રોચ્ચાર કર્યા.
આ પણ વાંચોઃ Video & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસ