Budget 2024 : બજેટમાં વૃદ્ધો માટે થઈ શકે છે મોટી જાહેરાત, ટ્રેન ટિકીટને લઈને પાછી આવી શકે આ યોજના
આવનારા બજેટને લઈને ઘણી અટકળો લાગી રહી છે ત્યારે અટકળો છે કે સરકાર વૃદ્ધોને લઈને મોટી જાહેરાત કરી શકે છે.
બજેટ પછી ચૂંટણી આવી રહી છે તે સ્થિતિમાં સરકાર કેટલીક જાહેરાતો કરી શકે છે. લોકોનું માનવું છે કે આ બજેટ સત્ર દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેન ટિકિટ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પુનઃસ્થાપિત કરી શકાય છે.

જણાવી દઈએ કે કોરોના પીરિયડ પહેલા વરિષ્ઠ નાગરિકોને ટ્રેનની ટિકિટ પર 40 થી 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું.
દેશમાં કોરોના બાદ આ છૂટને નાબૂદ કરવામાં આવી હતી. જો સરકાર આ બજેટમાં કોઈ મોટી જાહેરાત નથી કરી રહી તો તે વૃદ્ધોને ટ્રેનમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાના નિર્ણય પર વિચાર કરી શકે છે.
રેલવે દ્વારા માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ દિવ્યાંગોને પણ ટ્રેન ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ વિકલાંગ વ્યક્તિ સાથે મુસાફરી કરે છે તો તેને પણ ટ્રેનની ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. સરકારે વિકલાંગ લોકો માટે ટ્રેન ટિકિટ પરના ડિસ્કાઉન્ટમાં ઘટાડો નથી કર્યો.
જણાવી દઈએ કે અગાઉ IRCTC વરિષ્ઠ નાગરિકો માટે તમામ કેટેગરીની સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોમાં ભાડામાં રાહત આપતું હતું. 2019 ના અંત સુધી 60 વર્ષથી વધુ ઉંમરના પુરૂષ મુસાફરો અને 58 વર્ષથી વધુ ઉંમરના મહિલા મુસાફરોને શતાબ્દી, રાજધાની અને દુરંતો જેવી ટ્રેનોના ભાડા પર વિશેષ ડિસ્કાઉન્ટ મળતું હતું.
જણાવી દઈએ કે, આ સરકારનું છેલ્લું બજેટ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે. આ બજેટ માત્ર વચગાળાનું બજેટ હશે જેમાં ચૂંટણી સુધી જરૂરી ખર્ચ માટે પરવાનગી માંગવામાં આવશે. ચૂંટણી પછી સત્તામાં આવનારી સરકાર આગામી નાણાકીય વર્ષનું મુખ્ય બજેટ લાવશે.












Click it and Unblock the Notifications
