Budget 2024 : બજેટમાં મિડલ ક્લાસ માટે થઈ શકે છે મોટી જાહેરાત

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેના અંતિમ બજેટમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. આ ક્રમમાં મધ્યમ વર્ગને લઈને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. દરેક વર્ગને આ બજેટને લઈને ઘણી અપેક્ષાઓ છે.

Budget 2024 01

માનવામાં આવે છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ વચગાળાના બજેટમાં હાઉસિંગ સેક્ટર માટે ઘણી મહત્વની જાહેરાતો કરી શકે છે. સૂત્રો અનુસાર, નાણામંત્રી વચગાળાના બજેટમાં શહેરી ગરીબ અને મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર વચગાળાના બજેટમાં નવી હાઉસિંગ સ્કીમની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર, 60,000 કરોડની યોજનાને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. ગરીબ અને મધ્યમ વર્ગ માટે નવી હોમ લોનની જોગવાઈ હશે અને 50 લાખ રૂપિયા સુધીના મકાનો માટે આ યોજનાનો લાભ લઈ શકાશે.

રિપોર્ટ અનુસાર, આ યોજના હેઠળ ઘર ખરીદવા અથવા બનાવવા માટે હોમ લોન લેવા પર 3 થી 6 ટકા વ્યાજમાં છૂટ મળી શકે છે. સરકાર આ યોજના માટે 60 હજાર કરોડ રૂપિયા સુધીની જોગવાઈ કરી શકે છે.

જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ નવી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. અગાઉ EWS સિવાય અન્ય તમામ કેટેગરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના બંધ કરી દેવામાં આવી છે. હવે સરકાર આ અંગે નવી સ્કીમ લાવી શકે છે.

આ નવી જાહેરાત પહેલા પીએમ મોદી મહારાષ્ટ્રના સોલાપુરમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં સરકાર રાજ્યમાં આશરે 2,000 કરોડના મૂલ્યના આઠ AMRUT પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) હેઠળ બનેલા 90,000 થી વધુ મકાનો પણ સમર્પિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X