Budget 2024 : મિડલ ક્લાસ કરદાતાઓ માટે મોટી રાહત, 25 હજાર સુધીનો ટેક્સ માફ કરાશે
બજેટમાં મિડલ ક્લાસ ટેક્સ પેયર માટે કોઈ મોટી જાહેરાત કરાઈ નથી. જો કે આ વચગાળાના બજેટમાં જે કરદાતાઓનો વિવાદિત પ્રત્યક્ષ કર બાકી છે તેમને રાહત મળી છે
નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, મોટી સંખ્યામાં નાની, વણચકાસાયેલ, અસંબંધિત અથવા વિવાદિત પ્રત્યક્ષ કર માંગણીઓ બાકી છે, જેમાંથી ઘણી 1962ની છે. આ કરદાતાઓને ચિંતિત કરે છે અને પ્રમાણિક કરદાતાઓને વર્ષોથી તેમના રિફંડ મેળવવામાં પણ અવરોધે છે.

સરકારે નાણાકીય વર્ષ 2009-10 સુધી 25,000 સુધીની કરની માંગણીઓ અને 2014-15 સુધી 10,000 સુધીની કરની માંગણીઓ પાછી ખેંચવાની દરખાસ્ત કરી છે. આનાથી 1 કરોડ કરદાતાઓને ફાયદો થશે.
સરકારનું ધ્યાન કરદાતાઓ માટે સેવાઓ સુધારવા પર છે. તેમણે કહ્યું કે ઝડપથી વધી રહેલી વસ્તીને કારણે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં લેવા સરકાર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે.
સરળ શબ્દોમાં સમજીએ તો જે કરદાતાઓ નાણાકીય વર્ષ 2009-10 માટે 25 હજાર અને નાણાકીય વર્ષ 2010-11 થી 2014-15 માટે 10 હજાર સુધીના બાકી લેણાં ધરાવે છે. તે પાછી ખેંચી લેવામાં આવી છે એટલે કે આ કરદાતાઓએ હવે આ રકમ જમા કરાવવાની જરૂર રહેશે નહીં.












Click it and Unblock the Notifications
