Budget 2024 : આ બજેટ સાથે નવા રેકોર્ડ બનાવશે નાણામંત્રી, આવુ કરનારી પહેલી મહિલા બનશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજુ કરવા જઈ રહી છે. આ બજેટ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણ નવો કિર્તીમાન રચવા જઈ રહ્યા છે.
નિર્મલા સીતારમણ તેમનું સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે. આમ તે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબરી કરશે. દેશની પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી સીતારમણે જુલાઈ 2019માં પ્રથમ બજેટ રજૂ કર્યું હતું.

આ વચગાળાનું અથવા વોટ-ઓન-એકાઉન્ટ બજેટ હશે. આ સાથે સીતારામન નાણા મંત્રીઓ મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિંહાને પાછળ છોડી દેશે, જેમણે સતત પાંચ બજેટ રજૂ કર્યા છે.
નાણામંત્રી તરીકે મોરારજી દેસાઈએ 1959-1964 વચ્ચે પાંચ વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 1 ફેબ્રુઆરીના રોજ નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવનાર વચગાળાનું બજેટ મત-ઓન-એકાઉન્ટ હશે, જે એપ્રિલ-મેની સામાન્ય ચૂંટણીઓ પછી નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી સરકારને ચોક્કસ રકમ ખર્ચવાનો અધિકાર આપશે.
આ વખતે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તેથી શક્ય છે કે નિર્મલા સિતારન આ બજેટમાં કોઈ મોટા નીતિગત ફેરફારો નહીં કરે. તાજેતરમાં એક કાર્યક્રમમાં નાણામંત્રીએ વચગાળાના બજેટમાં કોઈપણ મોટી જાહેરાતને નકારી છે.
2014માં જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારે અરુણ જેટલીએ નાણા મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. તેમણે 2014-15 થી 2018-19 સુધી સતત પાંચ બજેટ રજૂ કર્યા. 2017 માં અરુણ જેટલીએ છેલ્લા કામકાજના દિવસને બદલે 1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરીને સંસ્થાનવાદી યુગની પરંપરાને બદલી દીધી.
2019 ની ચૂંટણી પછી, મોદી સરકારના બીજા કાર્યકાળમાં નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો હતો. સીતારમણે પરંપરાગત બજેટ બ્રીફકેસને બદલે સંસદમાં ભાષણ અને અન્ય બજેટ દસ્તાવેજો લઈ જવા માટે રાષ્ટ્રીય પ્રતીક તરીકે બહી ખાતુ અપનાવ્યું હતું.
નિર્મલા સીતારમને તેમના કાર્યકાળ દરમિયાન કોવિડ રોગચાળા સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી અને સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો ટેગ જાળવી રાખ્યો છે. ભારત 2027-28 સુધીમાં US$5 ટ્રિલિયન અને 2047 સુધીમાં US$30 ટ્રિલિયન અર્થતંત્ર બનવાની રેસમાં છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
