Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વૉલમાર્ટ ફ્લિપકાર્ટ ડીલના વિરોધમાં 28 સપ્ટેમ્બરના રોજ ભારત બંધ કરશે વેપારીઓ

વૉલમાર્ટ ફ્લિપકાર્ટ ડીલ અને રિટેલમાં એફડીઆઇના વિરોધમાં ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટના વેપારીઓના સંગઠન કૉન્ફેડરેશન ઓફ ઓર્ગેનાઇઝેશન આગામી 28 સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી ભારત વેપાર બંધ માટે પડકાર આપ્યો છે.

વૉલમાર્ટ ફ્લિપકાર્ટ ડીલ અને રિટેલમાં એફડીઆઇના વિરોધમાં ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટના વેપારીઓના સંગઠન કૉન્ફેડરેશન ઓફ ઓર્ગેનાઇઝેશન આગામી 28 સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી ભારત વેપાર બંધ માટે પડકાર આપ્યો છે. આ ડીલની વિરુદ્ધ વ્યાપક સમર્થન મેળવવા અને રિટેલમાં એફડીઆઈ નામંજૂર કરવાની માંગને લઈને 15 સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી વેપારીઓની એક રાષ્ટ્રીય રથ યાત્રા શરૂ કરવામાં આવશે.

16 ડિસેમ્બરે દિલ્હીમાં એક ઐતિહાસિક રાષ્ટ્રીય વેપારી રેલી થશે તથા રેલીમાં એક વેપારી ચાર્ટર પણ રજુ કરશે. તમને જણાવીએ કે આ નિર્ણય રવિવારે નાગપુરમાં કેટના વાર્ષિક અધિવેશનમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. આ અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના લગભગ 200 થી વધુ વેપારી નેતાઓએ ભાગ લીધો હતો.

ડીલથી રિટેલ બિઝનેસ પર થશે અસર

ડીલથી રિટેલ બિઝનેસ પર થશે અસર

કેટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલએ કહ્યું કે સમગ્ર દેશના વેપારી વૉલમાર્ટ ફ્લિપકાર્ટ ડીલ સામે ઉશ્કેરાયેલા અને ઉત્તેજિત છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે આ ડીલ સીધા સરકાર દ્વારા વર્ષ 2016 માં શરૂ પ્રેસનોટ 3 નું ઉલ્લંઘન છે. વૉલમાર્ટ ફ્લિપકાર્ટનું આ સંયુક્ત ગઠબંધન દેશના રિટેલ વેપાર પર ઈ-કોમર્સ મારફતે નિયંત્રણ અને એકાધિકારનો છુપો એજન્ડો છે. આ ડિલથી દેશના રિટેલ બિઝનેસમાં સમાન બિઝનેસ તકોનો અંત આવશે અને બીજી બાજુ સ્પર્ધા પણ સમાપ્ત થશે.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી બચાવી શકાય

ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી બચાવી શકાય

કેટના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું કે આ મુદ્દાની ગંભીરતા અને વેપારીઓના અસ્તિત્વના પ્રશ્નને ધ્યાનમાં રાખીને દેશભરના અગ્રણી વેપારી નેતાઓને 28 સપ્ટેમ્બરે ભારતના વેપાર બંધ કરવાની અપીલ કરી છે. સરકાર પાસે એવી માગણી કરી છે કે તેઓ આ બાબતે હસ્તક્ષેપ કરે અને દેશને ફરી એક ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી બચાવે. ભારત વેપાર બંધ દરમિયાન દેશના તમામ બિઝનેસ મથકો અને બજારો બંધ થઈ જશે અને સમગ્ર દેશમાં કોઈ વ્યવસાય થશે નહીં.

રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલી

રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલી

દેશના વિવિધ ભાગોના બજારોમાં વેપારી વિરોધ માર્ચ કાઢશે. કેટ આગામી 15 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના એક રાષ્ટ્રીય વેપારી રથયાત્રા શરૂ કરશે જે 16 મી ડિસેમ્બરે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલીમાં સમાપ્ત થશે. સમગ્ર દેશની વ્યાપાર સંસ્થાઓ અને વેપારીઓ રથયાત્રા અને રેલીમાં સામેલ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X