Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GST મુદ્દે 21 ઓક્ટોબરે એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે

નવી દિલ્હી, 3 ઓક્ટોબર : ગુડ્‍સ એન્‍ડ ર્સવિસ ટેક્‍સ (જીએસટી - GST)ને અમલી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્‍દ્ર સરકાર જીએસટી મુદ્દે રાજ્‍યોને મનાવી લેવાના અંતિમ પ્રયત્નો કરી રહી છે. કેન્‍દ્ર સરકાર બંધારણીય સુધારા બિલ પર તેમની મંજુરી મેળવવામાં સફળ રહે તેમ પણ માનવામાં આવે છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ એમ્‍પાવર્ડ કમિટિ (ઈસી)ની બેઠક 21 ઓક્‍ટોબરે દિલ્‍હીમાં મળી રહી છે. તેમાં રાજ્યો તરફથી જીએસટીને લીલી ઝંડી મળે તેવો આશાવાદ કેન્દ્રને છે.

રાજ્‍યોના નાણાં પ્રધાનોની આ સમિતિની બેઠક પર તમામની નજર કેન્‍દ્રિત થઈ ગઈ છે. નાણાં મંત્રાલય દ્વારા જીએસટી અંગે કામ ઝડપી બનાવવા ચૂંટણી પંચ પાસેથી પણ અપેક્ષા રાખી છે. સેન્‍ટ્રલ સેલ્‍સટેક્‍સ(સીએસટી)ના વળતરને અમલી બનાવવા માટે ગણતરી કરવામાં આવી રહી છે.

gst

વર્ષ 2013-14 માટે સરકાર સીએસટી રેટમાં ઘટાડાના અનુસંધાનમાં નુકસાન માટે રાજ્‍યોને વળતર તરીકે નવ હજાર કરોડના બજેટનો અંદાજ ધરાવે છે. પરંતુ આ ફંડની રકમ હજુ ફાળવવામાં આવી નથી. નાણાં મંત્રી પી ચિદમ્‍બરમ જીએસટીને મુદ્દે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે સીએસટી વળતર ચોક્કસ શરતોની સ્‍થિતિમાં અમલી બનાવવામાં આવશે. બંધારણીય સુધારા બિલ અને જીએસટી કાયદા બંનેને વધુ ઝડપથી આગળ લઈ જવામાં મદદરૂપ બનવાની સ્‍થિતિમાં વળતર આપવામાં આવશે. અધિકારીએ કહ્યું છે કે રાજ્‍યો આગામી મિટિંગમાં બિલ અંગે તેમના અંતિમ મત રજુ કરશે.

સીએસટી વળતર રાજ્‍યોને ત્યારે જ મળશે જ્‍યારે રાજ્‍યો જીએસટી અંગે સહકાર કરશે. રાજ્‍યો આગામી બેઠકમાં તેમના અંતિમ અભિપ્રાય રજુ કરશે. બીજી બાજુ ઉદ્યોગ જગત દ્વારા જીએસટી રજુ કરવા સરકાર પર દબાણ વધારી દેવામાં આવ્‍યું છે. અલબત્ત અમલી કરવાની બાબત વર્તમાન સરકારની અવધિ દરમિયાન શક્‍ય દેખાઈ રહી નથી કારણ કે આગામી સાત મહિનાની અંદર સામાન્‍ય ચૂંટણી યોજાનાર છે. નાણાં પ્રધાન બંધારણીય સુધારા બિલ પસાર કરવાના પ્રયાસમાં છે જો બંધારણીય સુધારા બિલ પસાર થશે તો કેન્‍દ્ર માટે મોટી સફળતા રહેશે.

બંધારણીય સુધારા બિલ અંગે ચર્ચા 21મીએ મળનારી બેઠકમાં એજન્‍ડા પર ટોપ પર રહેશે. ચૂંટણી પંચ રાજ્‍યોના અધિકારીઓની પેટા સમિતિના અહેવાલ પર વિચારણા કરશે. સંસદની સ્‍થાયી સમિતિની ભલામણ પર વિચારણા કરવા 19મી સપ્‍ટેમ્‍બરના દિવસે છેલ્લી બેઠકમાં પેટા સમિતિની રચના કરવામાં આવી હતી.

બંધારણીય સુધારા બિલના સુધારવામાં આવેલા મુસદ્દા ઉપર રાજ્‍યોના અભિપ્રાય મેળવવામાં આવી ચુક્‍યા છે. મળેલી માહિતી મુજબ કેન્‍દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ બિલ રજુ કરવાની યોજના ધરાવે છે. શિયાળુ સત્ર આગામી મહિનાથી શરૂ થઈ રહ્યુ છે. સંસદમાં બે તળત્‍યાંશ બહુમતી દ્વારા આને પાસ કરવાની હિલચાલ ચાલી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X