કોરોના વાયરસ લૉકડાઉનઃ ત્રણ મહિના સુધી એકેય સરકારી બેંક EMI નહિ વસૂલે

કોરોના વાયરસ લૉકડાઉનઃ ત્રણ મહિના સુધી એકેય સરકારી બેંક EMI નહિ વસૂલે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે લગાવવામાં આવેલ 21 દિવસના લૉકડાઉન દરમિયાન કોઈપણ સરકારી બેંક કોઈપણ પ્રકારના લૉનના ઈએમઆઈને આગામી ત્રણ મહિના સુધી નહિ વસૂલે. મંગળવારે 11 બેંકોએ આ એલાન કર્યું. આ બેંક 31 મે 2020 સુધી કોઈપણ પ્રકારના લૉન ઈએમઆઈ વસૂલ નહિ કરે. જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીના આર્થિક પ્રભાવથી નિપટવા માટે સરકાર સાથે કદમ મિલાવતાં રિઝર્વ બેંકે બેંકોની લોન સસ્તી અને સુલભ બનાવવાની દિશામાં રેપો દરમાં 0.75 ટકાના ઘટાડા સહિત પાછલા શુક્રવારે કેટલાય મોટા પગલાં ભરવામાં આવ્યાં હતાં. આરબીઆઈએ બેંકોને ઈમએઆઈની વસૂલીમાં ગ્રાહકોને ત્રણ મહિનાનો સમય આપવાની છૂટ આપી દીધી હતી.

Coronavirus

હાલના સંકટને જોતા પૂર્વ ઘોષિત કાર્યક્રમથી એક અઠવાડિયા પહેલા રજૂ મૌદ્રિક નીતિ સમીક્ષામાં રિઝ્વ બેંકે કાર્યશીલ પૂંજી પર વ્યાજ ચૂકવણી પણ ત્રણ મહિના સુધી ટાળવાની બેંકોને મંજૂરી આપી દીધી હતી. જ્યારે રોકડ વધારવાના વિવિધ ઉપાયો દ્વારા બેંકિંગ પ્રણાલીમાં 3.74 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ જાહેર કરવાના કેટલાય ઉપાયોની પણ ઘોષણા કરી હતી. આ ઉપરાંત રેપો રેટમાં 0.75 ટકા ઘટાડીને 4.40 ટકા કરી દેવામાં આવ્યો. અત્યાર સુધી આ 5.15 ટકા હતો. જ્યારે રોકડ વધારવા માટે સીઆરઆર એક ટકાથી ઘટાડીને 3 ટકા કરી દેવામાં આવ્યું. સીઆરઆર અંતર્ગત બેંકોને જમા રાશિનો એક ભાગ રિઝર્વના રૂપમાં અલગ રાખવો પડ્યો છે.

નીતિગત દર એટલે કે રોપામાં આ કટોતી જાન્યુઆરી 2009 બાદ સૌથી મોટી છે. આ કટોતી બાદ રેપો દર ઓક્ટોબર 2004ના પશ્ચિત નિચલા સ્તરે આી ગઈ છે. રિવર્સ રેપો રેટમાં 0.90 ટકાની કટોતી કરી 4 ટકા પર લાવવામાં આવ્યો છે. આનાથી બેંકો આરબીઆઈ પાસે પૈસા રાખવાને લઈને ઉદાસીન હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X