સરકારે કેટલીય બેંકોના મર્જરનું એલાન કર્યું, હવે દેશમાં માત્ર 12 સરકારી બેંક રહી જશે
સરકારે કેટલીય બેંકોના મર્જરનું એલાન કર્યું, હવે દેશમાં માત્ર 12 સરકારી બેંક રહી જશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મોટો ફેસલો લેતા બે બેંકોના પીએનબીમાં મર્જર કરવાનું એલાન કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે યૂનાઈટેડ બેંક અને ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સનું પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીમાં વિલય થશે. બીજી તરફ કેનરા બેંક અને સિંડિકેટ બેંકનું પણ પરસપર મર્જર કરવામાં આવશે. આવી જ રીતે યૂનિયન બેંક, આંધ્રા બેંક અને કૉરપોરેશન બેંકનું પણ મર્જર કરવામાં આવશે. ઈન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકોનું પણ પરસ્પર મર્જર થશે. કેન્દ્ર સરકારના આ મોટા એલાનની સાથે જ હવે દેશમાં સરકારી બેંકોની સંખ્યા 18થી ઘટીને 12 રહી જશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એનબીએફસી કંપનીઓ માટે આંશિક ઋણ ગેરેન્ટી યોજના લાગૂ. 3300 કરોડ રૂપિયાની પૂંજીનું સમર્થન આપવામાં આવ્યું છે અને 30 હજાર કરોડ રૂપિયા આપવાની તૈયારી છે. બેંકોના વાણિજ્યિક ફેસલામાં સરકારની કોઈ દખલ નથી. નીરવ મોદી જેવા દગાબાજને રોકવા માટે સ્વિફ્ટ સંદેશાઓને કોર બેંકિંગ પ્રણાલી સાથે જોડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રના બેંકનું કુલ ફસાયેલ લોન ડિસેમ્બર 2018ના અંતમાં 8.65 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 7.9 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં સુધારથી લાભ દેખાવા લાગ્યા છે કેમ કે 2019-20ના પહેલા ક્વાર્ટરમાં તેમાં 14 બેંકોને ફાયદો નોંધાયો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોમાં આ નવા વિલયની વાત કરતાં કહ્યું કે મોટી બેંકો પાસેથી લોન આપવાની ક્ષમતા વધે છે. પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ અને યૂનાઈટેડ બેંકના મર્જરથી બનતી બેંક પાસે 17.95 લાખ કરોડ રૂપિયાનો કારોબાર હશે અને તેની 11437 શાખા હશે. નાણામંત્રીએ કહ્યું કે કેનરા બેંક અને સિંડીકેટ બેંકનું મર્જર થશે અને તેનાથી 15.20 લાખ રૂપિયાના કારોબાર સાથે આ ચોથી સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક બનશે.
જ્યારે યૂનિયન બેંક, આંધ્રા બેંક, કોર્પોરેશન બેંકના વિલયથી આ દેશની પાંચમી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક બનશે, જેનો કુલ કારોબાર 14.59 લાખ કરોડ રૂપિયા હશે. જ્યારે બીજી તરફ ઈન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકના વિલયથી 8.08 લાખ કરોડ રૂપિયાના કારોબાર સાથે આ સાર્વજનિક ક્ષેત્રની 7મી સૌથી મોટી બેંક બનશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
