7 નબળી બેંકોને 28,600 કરોડ રૂપિયા આપશે સરકાર
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી દેશની કેટલીક મુખ્ય બેંકોને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી રાહત આપવા માટેનું એલાન કરવામાં આવશે.
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી દેશની કેટલીક મુખ્ય બેંકોને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી રાહત આપવા માટેનું એલાન કરવામાં આવશે. જી ન્યુઝ વેબ પોર્ટલની રિપોર્ટ અનુસાર જાહેર ક્ષેત્રના નાણાં મંત્રાલયની સાત બેંકો માટે શુક્રવારે એક મોટી રાહત જાહેર કરી શકે છે. સરકારની તરફથી આ પગલું એવા સમયમાં લેવાની ધારણા કરવામાં આવી રહી છે જયારે પબ્લિક સેક્ટરથી કેટલીક બેંકો દેવાથી ઘેરાયેલી, બેંક છેતરપિંડી અને રોકડ સંકટને લીધે ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે. નાણાં મંત્રાલય તરફથી જાહેર ક્ષેત્રની 7 બેંકોને કુલ રૂ .28,615 કરોડની રાહત પૂરી પાડવાની ધારણા છે.

સૌથી વધુ નાણાં બેન્ક ઓફ ઇન્ડિયા
જણાવી દઈએ કે સરકાર તરફથી જે બેન્કોને રીકેપ ફંડ્સ આપવાની ધારણા છે તેમાં સૌથી વધુ નાણાં બેન્ક ઓફ ઇન્ડિયાને આપવામાં આવશે. કુલ 28,615 કરોડ રૂપિયા પૈકી બેન્ક ઓફ ઈન્ડિયાને 10,086 કરોડ રૂપિયા આપવાની ધારણા છે. યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને 2159 કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને 1678 કરોડ રૂપિયા, યુકો બેંકને 3056 કરોડ રૂપિયા આપવામાં આવશે.

આ બેન્કોને આટલા રૂપિયા મળશે
આ ઉપરાંત ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને 55000 કરોડ રૂપિયા, બેંક ઓફ મહારાષ્ટ્રને 4,448 કરોડ રૂપિયા અને સિંડિકેટ બેંકને 1638 કરોડ રૂપિયા આપવાની ધારણા છે.

બૅન્કિંગ સેક્ટરનું આઉટલુક સારું થવાની ધારણા
સરકાર તરફથી રિકેપિટલાઇઝેશનની જાહેરાત કરવાથી બૅન્કિંગ સેક્ટરનું આઉટલુક સારું થવાની ધારણા છે. હાલમાં જે બેંકો માટે રિકેપિટલાઇઝેશનની જાહેરાત થઇ છે, જેમાં વધુ એ બેંકો છે જે જેઓ મૂડીની તંગીનો સામનો કરી રહ્યા છે. રિકેપિટલાઇઝેશન પછી બેંકોને લોન આપવાનું સરળ બનશે. રિકેપિટલાઇઝેશનના સમાચાર પછી, મોટાભાગની બેંકોના શેરમાં પણ વધારો થયો છે અને બજાર તેને એક સારા પગલા તરીકે જોઈ રહ્યું છે. આનાથી રોકાણકારોને પણ લાભ મળવાની ધારણા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
