EPFO ધારકો માટે સારા સમાચાર, મળશે 8.25 ટકા વ્યાજ
EPFO : એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ શનિવારના રોજ 2023-24 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2023માં EPFOએ 2022-23 માટે EPF પરના વ્યાજ દરમાં નજીવો વધારો કરીને 8.15 ટકા કર્યો હતો, જે 2021-22માં 8.10 ટકા હતો.
માર્ચ 2022માં EPFOએ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકામાં સૌથી નીચો હતો. EPF પર વ્યાજ દર 2020-21માં 8.5 ટકા હતો.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, ઇપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી), શનિવારે તેની બેઠકમાં, 2023-24 માટે ઇપીએફ પર 8.25 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો છે.
CBTના નિર્ણય પછી, 2023-24 માટે EPF થાપણો પર વ્યાજ દર સંબંધિત નિર્ણયને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. સરકારની મંજૂરી પછી, 2023-24 માટે EPF પર વ્યાજ દર EPFOના છ કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
