સરકાર ખાંડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી વધારશે : રામવિલાસ પાસવાન
નવી દિલ્હી, 23 જૂન : આજે કેન્દ્રીય ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે સરકાર ખાંડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી વધારીને 40 ટકા કરશે.
પાસવાનનું કહેવું છે કે સરકાર રોકડ સંકટથી ઝઝુમી રહેલી ખાંડ મિલોને રૂપિયા 4400 કરોડનું વધારાનું વ્યાજ-મુક્ત ધિરાણ આપશે. જેથી શેરડીના ખેડૂતોના રૂપિયા 11,000ની બાકી રકમની ચૂકવણી કરી શકાશે. પાસવાને જણાવ્યું કે સરકાર આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 3300 રૂપિયા પ્રતિ ટનની નિકાસની સબસિડી આપશે. ખાંડ કંપનીઓને રાહત ત્યારે જ મળશે જ્યારે તેઓ શેરડી પકવતા ખેડૂતોને બાકી રહેલા રૂપિયા 11,000 કરોડની ચૂકવણી કરશે.

માહિતગારોનું કહેવું છે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાના નિર્ણયથી ખાંડ સેક્ટરને રાહત મળશે. ખાંડ કંપનીઓ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની માંગ ઘણા સમયથી કરી રહી હતી. એક્સપોર્ટ પર મળનારી રાહતોને વર્ષ 2015 સુધી વધારવામાં આવે તો કંપનીઓને વધારે ફાયદો મળ્યો હોત. જો કે આ સાથે નવી સરકારના પગલાથી ખુશી પણ છે. વાસ્તવમાં ખાંડ કંપનીઓના વધી રહેલા બોજને ખતમ કરવા માટે ખાંડ કંપનીઓની કિંમતોમાં પણ વધારો જરૂરી છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026







Click it and Unblock the Notifications
