Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકાર એફડીઆઇ નીતિને વધારે ઉદાર બનાવશે : ચિદમ્બરમ

chidambaram
નવી દિલ્હી, 1 ઓગસ્ટ : રૂપિયાના ઘટતા મુલ્ય અંગે ભારત સરકારની ચિંતા સતત વધી રહી છે. યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે ત્યારે કેન્દ્રીય નાણાં પ્રધાન પી ચિદમ્બરમે બુધવારે જણાવ્યું હતું કે સરકાર એફડીઆઈ નીતિને વધારે ઉદાર બનાવશે. જાહેર ક્ષેત્રની કંપનીઓ દરિયાપારની બજારોમાંથી વધારે ભંડોળ મેળવી શકે એ માટે તેમને ઉત્તેજન આપવા માટે સરકાર આ પગલું ભરશે.

ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમે ગયા વર્ષની 1 ઓગસ્ટે નાણાં પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. આ હોદ્દા પર એક વર્ષની સમાપ્તિ નિમિત્તે પત્રકારો સાથેની વાતચીતમાં ચિદમ્બરમે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં જ 5.5 થી 6 ટકાનો વિકાસ દર હાંસલ કરશે.

ચિદમ્બરમે એમ પણ કહ્યું કે સરકાર બિન જરૂરી લક્ઝરી આઈટમ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા વિચારે છે. સરકાર કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ (સીએડી)ને અંકુશમાં રાખવા નિકાસને વધારવા પણ માગે છે. સરકાર એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ નિયમોને હળવા કરશે અને એનઆરઆઈ ડિપોઝીટ્સમાંથી ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહિત કરશે.

રૂપિયો નબળો પડ્યો છે તે વિશેના સવાલના જવાબમાં ચિદમ્બરમે કહ્યું કે, મારા મગજમાં એ વિશે કોઈ ચોક્કસ ટાર્ગેટ નથી, પણ હું તે માટેના પગલા જરૂર લઈશ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X