GST મુદ્દો : કેન્દ્ર સરકાર રાજ્યોને વળતર પેટે આપશે 34000 કરોડ
નવી દિલ્હી, 2 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર આક્રમક રીતે આર્થિક નીતિઓનું અમલીકરણ કરી રહી છે. જેના કારણે અર્થતંત્ર ઝડપથી પાટા પર લાવી રહ્યા છે. આ દિશામાં છેલ્લા ઘણા વર્ષથી અટવાયેલા ગુડ્સ એન્ડ સ્ર્વિસ ટેક્સ (જીએસટી - GST)ના અમલીકરણના રસ્તામાં આવતી તમામ બાધાઓ એક પછી એક દૂર કરીને આગામી થોડા મહિનામાં તેના અમલ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
જીએસટીના અમલની બાધાઓ દૂર કરવા માટે નરેન્દ્ર મોદી સરકારે કેવી કામગીરી હાથ ધરી છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

મુસદ્દો તૈયાર
જીએસટીના અમલ માટે જરૂરી બંધારણીય સુધારાનો મુસદ્દો તૈયાર કર્યો. જીએસટીના બંધારણીય સુધારણા અંગેનો ખરડો સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરાશે. કેન્દ્રીય અને ઇન્ટિગ્રેટેડ જીએસટી બંને માટે અલગ અલગ કાયદાનું કામ ચાલી રહ્યું છે. પ્રધાનોના સત્તાધારી જૂથે કાયદો બનાવવા આંતરિક સમિતિ બનાવી છે.

વેચાણવેરો નહીં ઘટે, રાજ્યોને વળતર ચૂકવાશે
બધા જ રાજ્યોમાં જીએસટીનો અમલ કરાવવા માટે કેન્દ્ર સરકાર કેન્દ્રીય વેચાણવેરામાં ઘટાડાને બદલે રાજ્યોને બાકી વળતર ચૂકવવાની સ્થિતિમાં હશે. આ રકમ આપીને રાજ્યોને જીએસટી સ્વીકારવા મનાવી શકાશે. નવા ટેક્સનો અમલ પહેલી એપ્રિલ 2016થી થવાની શક્યતા છે.

દેશનો જીડીપી સુધરશે
નાણામંત્રાલયે 30 સપ્ટેમ્બરે સમીક્ષા બેઠક કરી હતી. જીએસટીના એમેન્ડમેન્ટ અંગેનો મુસદ્દો નાણાપ્રધાન અરુણ જેટલીની મંજૂરી માટે આવતા સપ્તાહે સુપરત કરાશે. એક અંદાજ પ્રમાણે માત્ર જીએસટીના અમલીકરણથી દેશના જીડીપીમાં એકથી બે ટકાનો વધારો થવાની શક્યતા છે.

રાજ્યોને વળતર પેટે 34,000 કરોડ ચૂકવાશે
કેન્દ્રીય નાણામંત્રાલય રાજ્યોને બાકી વળતર આપવા ઉપરાંત, જીએસટીના અમલીકરણ માટે મનાવવા અને તેમની ચિંતાઓ ઉકેલવા પ્રયાસ કરી રહ્યું છે. મંત્રાલય કેન્દ્રીય વેચાણવેરામાં ઘટાડાને બદલે રાજ્યોને વળતર પેટે રૂપિયા 34,000 કરોડ છૂટા કરવાનો પ્રસ્તાવ કરી રહ્યું છે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
