1 જુલાઇના રોજ HDFC બેંક થશે મર્જ, ગ્રાહકો જાણી લે આ અપડેટ્સ
HDFC અને HDFC બેંક મર્જર અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 1 જુલાઇ, 2023ના રોજ ભારતીય ઇતિહાસમાં સૌથી મોટું મર્જર થશે. જે બાદ શેર માર્કેટમાં એચડીએફસી લિમિટેડના શેરની ટ્રેન્ડિગ બંધ થઇ જશે.
1 જુલાઇથી HDFC લિમિટેડ અને HDFC બેંક બંનેનું મર્જર થઇને એક થઇ જશે, જે બાદ બજારમાં આ બંને કંપનિ એક સાથે મળીને કારોબાર કરશે.

30 જૂનના રોજ યોજાશે બોર્ડ મિટિંગ - નોંધનીય બાબત છે કે, 30 જૂનના રોજ HDFC અને HDFC બેંકની બોર્ડ મિટિંગ યોજાશે, જેમાં મર્જરને અસરકારક બનાવવામાં આવશે અને વધુ માહિતી આપવામાં આવશે. મર્જર બાદ 13 જુલાઈથી બજારમાં HDFC લિમિટેડના શેરનું ટ્રેડિંગ બંધ થઈ જશે.
ગ્રાહકોને ઘણા ફેરફારોનો સામનો કરવો પડશે - બંને કંપનીઓના મર્જર બાદ ગ્રાહકોને ઘણા ફેરફારોનો સામનો કરવો પડશે. HDFC હાલમાં HDFC બેંક કરતાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વધુ વ્યાજનો લાભ આપી રહી છે, જે લોકોનું આ બેંકમાં ખાતું છે, તેમને તેના નવા નિયમો જાણી લેવા પડશે.
કરોડો ગ્રાહકોને થશે અસર - આ મર્જર બાદ બંને કંપનીઓના ખાતાધારકોને એક જ જગ્યાએ તમામ સુવિધાઓ મળશે. આ સાથે તમે બેંકિંગ અને ફાઇનાન્સનો એકસાથે લાભ લઈ શકશો. ગ્રાહકોને HDFC બેંકની શાખામાં જ HDFC પ્રોડક્ટ અને સેવાઓનો લાભ મળશે. આ મર્જરને કારણે કરોડો બેંક ખાતાધારકો, HDFC પાસેથી લોન લેનારાઓને અસર થશે.
એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી મર્જરની જાહેરાત - HDFC બેંકના હાઉસિંગ ધિરાણકર્તા HDFC લિમિટેડ સાથે મર્જરની જાહેરાત લગભગ એક વર્ષ પહેલાં એટલે કે એપ્રિલમાં કરવામાં આવી હતી. 40 બિલિયન ડોલરના આ મર્જરને ભારતીય કોર્પોરેટ જગતનો સૌથી મોટો સોદો કહેવામાં આવી રહ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, HDFC બેંક HDFCના 25 શેર માટે 42 નવા શેરનું વિતરણ કરશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
