2 કરોડ લોકોના ITR પર છે ખતરો, થઈ શકે છે કેન્સલ, જાણો શું છે મામલો
31 ઓગસ્ટ એ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી. લોકોએ નાણાકીય વર્ષ 2019-20 માટે પોતાનું ઈન્કમટેક્સ રિટર્ન ભરી દીધું છે.
31 ઓગસ્ટ એ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી. લોકોએ નાણાકીય વર્ષ 2019-20 માટે પોતાનું ઈન્કમટેક્સ રિટર્ન ભરી દીધું છે. છેલ્લા દિવસે લગભગ 5.65 કરોડ લોકોએ પોતાનું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું જેમાંથી માત્ર 3.61 કરોડ ITR વેરિફાય થયા છે. બાકીના લગભગ 2 કરોડ ITR ભરનાર લોકોના ITR વેરિફાઈ નથી થયા.

રદ થઈ શકે છે 2 કરોડ ITR
31 ઓગસ્ટે ITR દાખલ કરવાની છેલ્લી તારીખ હતી. લગભગ 5.65 કરોડ લોકોએ ITR ભર્યું, જેમાંથી 3.61 કરોડ લોકોનું ITR વેરિફાય થયું છે. હજી સુધી કરોડ લોકોનું ITR વેરિફાય થવાનું બાકી છે. તમને જણાવી દઈએ કે વેરિફિકેશન વગર ITR દાખલ કરવાની પ્રક્રિયા અધૂરી મનાય છે. એટલે કે 2 કરોડ લોકોનુ આવક વેરા રિટર્ન અધુરુ મનાશે.

શું છે ITR વેરિફિકેશનનો નિયમ?
આવકવેરા વિભાગના નિયમ મુજબ ITR ફાઈલ કરવાના આગામી 120 દિવસમાં તેનું વેરિફિકેશન થવું જરૂરી છે. જો એવું ન થાય તો આવક વેરા વિભાગ માને છે કે તમે ITR ફાઈલ નથી કર્યું. વેરિફિકેશન વગર ITR પ્રોસેસ નથી થતું. તમને જણાવી દઈએ કે જો તમે આવું નથી કરતા તો ITR તમને નોટિસ આપી શકે છે.

કેવી રીતે વેરિફાય કરશો ITR
ITR વેરિફાય કરવા માટે બે રીત છે. એક છે આધાર ઓટીપી. તેમાં તમે રિટર્ન ભર્યા બાદ આધાર ઓટીપી દ્વારા તેને વેરિફાય કરી શકો છો. ITR ભર્યા બાદ જો તમે આ રીત પસંદ કરો છો તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. જેને તમારે આવક વેરા વિભાગની વેબસાઈટ પર સબમિટ કરવો પડશે. બાદમાં તમારું ITR વેરિફાય થશે. આ ઉપરાંત નેટ બેન્કિંગ દ્વારા પણ તમે ITR વેરિફાય કરી શકો છો. આવકવેરા વિભાગ તમારા બેન્ક અકાઉન્ટ દ્વારા પણ ITR વેરિફાય કરી શકે છે. આ ઉપરાંત બેન્ક એટીએમ દ્વારા પણ ITR વેરિફાય થઈ શકે છે. આ તમામ રીત ઉપરાંત તમે ફિઝિકલ વેરિફિકેશન પણ કરી શકો છો.

નેટબેન્કિંગ દ્વારા કેવી રીતે કરશો વેરિફાય
નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેઠા બેઠા તમે ITR વેરિફાય કરી શકો છો. આ સુવિધા હાલ ગણતરીની બેન્કો જ આપે છે. એટલે તમે જો તે બેન્કના ગ્રાહક છો તો નેટબેન્કિંગ દ્વારા ITR વેરિફિકેશન કરી શકો છો. આ માટે તમારે બેન્કની વેબસાઈટ પર લૉગ ઈન કરવું પડશે. જ્યાં તમને ટેક્સ ટેબમાં ઈ વેરિફાયનો ઓપ્શન મળશે. બસ અહીં ક્લિક કરવાથી આ વેબસાઈટ તમને ઈન્કમટેક્સ વિભાગની વેબસાઈટ પર લઈ જશે. જેમાં માય અકાઉન્ટ પર ક્લિક કરીને તમે જનરેટ ઈવીસી વિકલ્પ પર ક્લિક કરી શક્શો. આ ક્લિક કરવાથી જ તમારા મોબાઈલ અને ઈમેલ પર 10 આંકડાનો કોડ મળશે, જે 72 કલાક સુધી વેલિડ હોય છે. આ કોડ તમે ITR વેરિફાય કવરા માટે માય અકાઉન્ટ ટેબમાં નાખો. અહીં સબમિટ પર ક્લિક કરવાથી જ તમારું ITR વેરિફાય થઈ જશે.

બેન્ક અકાઉન્ટ અને એટીએમ દ્વારા
આવકવેરા વિભાગ તમને બેન્ક અકાઉન્ટ દ્વારા પણ ITR રિટર્ન વેરિફાય કરવાની સુવિધા આપે છે. પરંતુ આ સુવિધા દરેક બેન્ક માટે ઉપલબ્ધ નથી. જો તમારી બેન્ક આ સુવિધા આપે છે તો તમારી બેન્કનું નામ, અકાઉન્ટ નંબર, IFSC કોડ અને મોબાઈલ નંબર ઈનપુટ કરવો પડશે. આ માહિતી બેન્કમાં આપ્યા બાદ તમારા પાન કાર્ડમાં લખેલા નામ અને બેન્ક અકાઉન્ટનું નામ સેમ હોય તો જ વેલિડેશન શક્ય બનશે. આ ઉપરાંત ITR વેરિફિકેશનની સુવિધા પણ એટીએમથી મળે છે.
આ પણ વાંચો: આ 8 રીતે થયુ મૃત્યુ તો નહિં મળે વીમાનું ક્લેમ
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
