આ 8 રીતે થયુ મૃત્યુ તો નહિં મળે વીમાનું ક્લેમ
પોતાનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે દરેક વ્યકિત ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદે છે. એટલું જ નહિં અલગ-અલગ કંપનીઓ પણ તેના ફાયદા ગણાવી ગ્રાહકોને તેની સાથે જોડે છે.
પોતાનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે દરેક વ્યકિત ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદે છે. એટલું જ નહિં અલગ-અલગ કંપનીઓ પણ તેના ફાયદા ગણાવી ગ્રાહકોને તેની સાથે જોડે છે. જે કે એ વાત પણ સાચી છે કે આ ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે કેટલીક શરતો હોય છે, જેના પર આપણે પૂરતું ધ્યાન આપતા નથી અથવા તે એવું કહેવું પણ ખોટુ નહિં હોય કે આ કંપનીઓ આપણને તે વિશે જણાવતી પણ નથી. કંપની પૉલીસીધારકને ક્યારે અને કઈ શરતે પૈસા આપશે તે પૂર્વનિર્ધારિત હોય છે. આજે અમે તમને જણાવિશું કે પૉલીસીધારકને આ 8 શરતો પ્રમાણે ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાનના પૈસા મળતા નથી.

1) શરાબના સેવનથી મૃત્યુ
જો કોઈ પૉલીસીધારકનું મૃત્યુ દારુનું સેવન કરવાથી થયું છે તો તેને ઈન્સ્યોરન્સ કંપનીનું ક્લેમ મળતુ નથી. તમને જણાવી દઈએ કે કંપની વધુ પડતા શરાબનું સેવન કે નશાયુક્ત દવાનો ઉપયોગ કરનારી વ્યકિતને ઈન્સ્યોરન્સનું ક્લેમ આપતી નથી. પૉલીસી ધારક પ્લાનમાં આ વાતને જણાવતી નથી અને તેનું દારુ પીવાથી મૃત્યુ થાય તો કંપની તેને ક્લેમ આપતી નથી.

2) સ્મોકિંગની આદત
જો તમે સ્મોકિંગ કરો છો અને ટર્મ પ્લાન લેતી વખતે આ વિશે કંપનીને જણાવતા નથી. સ્મોકિંગ કરનારા હંમેશા આરોગ્યની તકલીફોથી હેરાન થયા કરે છે. જો પૉલીસીધારક કંપનીને જણાવતા નથી કે તેઓ ભારે માત્રામાં સ્મોકિંગ કરે છે અને સ્મોકિંગને કારણે તેનું મૃત્યુ થાય તો કંપની તેને ઈન્સ્યોરન્સ ક્લેમના પૈસા આપતી નથી.

3) ખતરનાક પ્રવૃતિઓમાં શામેલ
જો કોઈ પૉલીસીધારક એડવેન્ચર અને ખતરનાક પ્રવૃતિઓમાં શામેલ હોય અને તેનું મૃત્યુ થઈ જાય તો કંપની ઈન્સ્યોરન્સ ક્લેમના પૈસા આપતી નથી. કારણ કે આવી પ્રવૃતિ દ્વારા વ્યકિત પોતાની જુંદગીને ખતરામાં નાખે છે.

4) એચઆઈવી અને ડ્રગ્સ ઓવરડોઝ
તમને જણાવી દઈએ કે જે પૉલીસી ધારકનું મૃત્યુ એચઆઈવી કે કોઈ ડ્રગ્સના ઓવરડોઝથી થયુ હોય તેવા પૉલીસીધારકોને ઈન્સ્યોરન્સ કંપની ક્લેમ આપતી નથી. એચઆઈવી એડ્સથી જે વ્યકિતનું મૃત્યુ થાય તેને કંપની ક્લેમ માટે ના પાડી દે છે.

5) આત્મહત્યા
જો કોઈ પૉલીસીધારકે આત્મહત્યા કરી છે તો તેને પણ કંપની ક્લેમના પૈસા આપતી નથી. પૉલીસીધારક ટર્મ પ્લાન લીધાના એક વર્ષની અંદર જ આત્મહત્યા કરી લે છે તો તેના નૉમિનીને ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ મળતી નથી. જો કે મોટાભાગની કંપનીઓ પૉલીસી ખરીદની તારીખના બીજા વર્ષે આત્મહત્યા થઈ હોય તો તેનું કવરેજ પ્રદાન કરે છે.

6) ડિલીવરી દરમિયાન મૃત્યુ
ડિલીવરી દરમિયાન કોઈ પૉલીસીધારકનું મૃત્યુ થઈ જાય તો કંપની ઈન્સ્યોરન્સનું ક્લેમ આપતી નથી. તમને જણાવી દઈએ કે પ્રેગનેન્સી દરમિયાન કે પછી પ્રસવ દરમિયાન મૃત્યુ થયુ હોય તો ઈન્સ્યોરન્સનું ક્લેમ મળતુ નથી.

7) કુદરતી આપદામાં મોત
જો કોઈ પૉલીસીધારકનું મૃત્યુ પ્રાકૃતિક આપદા જેવા કે ભૂકંપ કે તોફાન વગેરેથી થાય તો તેના નૉમિનીને ઈન્સ્યોરન્સનું ક્લેમ મળતુ નથી.

8) પૉલીસીધારકનું મર્ડર
જો કોઈ પૉલીસીધારકનું મર્ડર થઈ જાય અને તપાસમાં જાણવા મળે કે તે કોઈ ક્રાઈમમાં ભાગીદાર હતો તો કંપની તેને પૈસા આપતી નથી. ત્યાં જ પૉલીસીધારકનું મૃત્યુ અપરાધિક પ્રવૃતિમાં શામેલ હોવાને કારણે થાય ત્યારે પણ તેને ઈન્સ્યોરન્સનું ક્લેમ મળતુ નથી.
આ પણ વાંચો: આગામી બે મહિના દેશની અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વનાઃ SBI ચેરમેન
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ








Click it and Unblock the Notifications
