દિલ્હી ચૂંટણીના આગલા દિવસે જ મોટો ઝાટકો, રસોઈ ગેસ સિલિન્ડરના ભાગ વધ્યા
દિલ્હી ચૂંટણીના આગલા દિવસે જ મોટો ઝાટકો, રસોઈ ગેસ સિલિન્ડરના ભાગ વધ્યા
નવી દિલ્હીઃ ગૃહીણીઓ માટે ખરાબ સમાચાર છે, જેના કારણે તેમના બજેટમાં ગાબડું પડી શકે તેમ છે. ઈંડેન ગેસે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ મેટ્રો શહેરોમાં ગેસ સબ્સિડીવાળા ઈન્ડેન ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ચાક મેટ્રો શહેરોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 144 રૂપિયાથી લઈ 150 રૂપિયા સુધીનો વધારો થયો છે. દિલ્હીમાં 14 કિલો ગ્રામના બિન-સબસિડીવાળા ઈન્ડેસ ગેસ સિલિન્ડરની કિંમત હવે 858.50 રૂપિયા થઈ ગઈ છે. જેમાં 144.50 થઈ ગઈ છે. જેમાં 144.50 રૂપિયાનો વધારો થયો છે.
દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 144.50 રૂપિયાનો વધારો
વધતી કિંમતો બાદ મુંબઈમાં સબ્સિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 829.50 રૂપિયા થઈ ગયા છે. મુંબઈમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 145 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કોલકાતામાં બિન-સબ્સિડી વાળા ઈન્ડેન ગેસ સિલિન્ડરના ભાવ 896 રૂપિયા થઈ ગયા છે. કોલકાતામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 149નો વધારો થયો છે. આ ઉપરાંત ચેન્નઈમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 147 રૂપિયાનો વધારો થયો છે અને ગેસ સિલિન્ડરની કિંમત 881 રૂપિયા થઈ ગઈ છે.
|
મેટ્રો શહેરોમાં ઈન્ડેન ગેસે સિલિન્ડરના ભાવ વધાર્યા
જણાવી દઈએ કે સબ્સિડી વિનાના ઈન્ડેન ગેસ સિલિન્ડરની કિંમતમાં 1 જાન્યુઆરી, 2020 બાદ કોઈ વધારો થયો નહોતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેની કિંમતોમાં કોઈ બદલાવો કરાયો નહોતો. પાછલા મહિને એટલે કે જાન્યુઆરીમાં પણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. ગેસ કંપનીઓએ સબ્સિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો હતો. વધેલા આ ભાવ નવા વર્ષના પહેલા દિવસે (1 જાન્યુઆરી 2020)થી લાગૂ થયા હતા. દિલ્હીમાં સિલિન્ડરના ભાવ 19 રૂપિયા અને મુંબઈમાં 19.5 રૂપિયા વધારવામાં આવ્યા હતા.
દર મહિને કિંમતો વધે છે
વર્તમાનમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબ્સિડી આપે છે. જો આનાથી વધુ સિલેન્ડર જોઈએ તો બજાર મૂલ્યો પર ખરીદદારી કરવાની હોય ચે. જો કે સરકાર દર વર્ષે 12 સિલેન્ડરો પર જે સબ્સિડી આપે છે, તેની કિંમત પણ મહિને મહિને બદલતી રહે છે. સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં બદલાવ જેવા કારક સબ્સિડીની રાશિ નિર્ધારિત કરે છે.
દિલ્લી ચૂંટણીઃ હારની જવાબદારી લઈને સુભાષ ચોપડાની જેમ શું મનોજ તિવારી આપશે રાજીનામુ?