કેન્સરની દવાઓ સસ્તી થશે, બજેટમાં દવાઓ પરની ડ્યુટી ઘટાડવાની જાહેરાત
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27માં સ્વાસ્થ્ય ક્ષેત્રે ઐતિહાસિક જાહેરાત કરી છે. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા પરિવારો માટે હવે સારવાર લેવી પહેલા કરતા વધુ સસ્તી બનશે.
કેન્સરની સારવારમાં વપરાતી મહત્વની 17 દવાઓ પરની કસ્ટમ્સ ડ્યુટી હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ નિર્ણયથી વિદેશથી આયાત થતી જીવનરક્ષક દવાઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે.

ભારતમાં કેન્સરનો સારવાર ખર્ચ મધ્યમ વર્ગના પરિવારો માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. સરકારના આ ક્રાંતિકારી પગલાથી દર્દીઓ પરનો આર્થિક બોજ ઘટશે અને સારવાર સુલભ બનશે.
અત્યાર સુધી વિદેશી ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ દવાઓ પર ભારે ટેક્સ લાગતો હતો. હવે ડ્યુટી શૂન્ય થતા આ દવાઓની લેન્ડેડ કોસ્ટ ઘટશે, જેનો સીધો ફાયદો સામાન્ય દર્દીઓને મળશે.
કેન્સર ઉપરાંત સરકારે સાત નવી દુર્લભ બીમારીઓને પણ ડ્યુટી ફ્રી કેટેગરીમાં સામેલ કરી છે. આ રોગો માટે મંગાવવામાં આવતા ખાસ મેડિકલ ફૂડ પર પણ હવે ટેક્સ નહીં લાગે.
જો કોઈ દર્દી વ્યક્તિગત ધોરણે વિદેશથી દવાઓ મંગાવશે, તો તેમને કોઈ આયાત શુલ્ક ચૂકવવો પડશે નહીં. આ જોગવાઈ દુર્લભ બીમારીઓ સામે ઝઝૂઝતા પરિવારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો આ નિર્ણયને આવકારી રહ્યા છે કારણ કે કેન્સરની સારવાર લાંબી અને ખર્ચાળ હોય છે. દવાઓના ભાવ ઘટવાથી વીમા વગરના દર્દીઓને પણ મોટી રાહત મળશે એવી આશા છે.
બજેટમાં માત્ર આયાત પર જ નહીં, પણ સ્થાનિક ઉત્પાદન વધારવા પર પણ ભાર મુકાયો છે. 'બાયો-ફાર્મા શક્તિ' જેવી યોજનાઓ દ્વારા દેશમાં જ દવાઓ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ સાથે જ સરકારે મેડિકલ શિક્ષણ અને વિદેશી ટૂર પેકેજ પરના TCSમાં પણ ઘટાડો કર્યો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા આ નિર્ણયોથી સામાન્ય જનતાને બહુમુખી ફાયદો થશે.












Click it and Unblock the Notifications
