ભારત પહેલી વાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી સંભાવનાઃ સરકારી સૂત્રો
Sugar Export Ban: ત્રણ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદના અભાવે શેરડીની ઉપજમાં ઘટાડો થવાને કારણે સાત વર્ષમાં પ્રથમ વખત શિપમેન્ટ અટકાવીને ભારત ઓક્ટોબરથી શરૂ થતી આગામી સિઝનમાં મિલને ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે.
વિશ્વ બજારમાં ભારતની ગેરહાજરી ન્યુ યોર્ક અને લંડનમાં બેન્ચમાર્ક ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે જે પહેલેથી જ બહુ-વર્ષીય ઊંચાઈની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જેનાથી વૈશ્વિક ખાદ્ય બજારો પર વધુ ફુગાવો થવાની આશંકા છે તેમ રોઈટર્સના અહેવાલમાં જણાવાયું છે.

સરકારી સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, "અમારું પ્રાથમિક ધ્યાન સ્થાનિક ખાંડની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સરપ્લસ શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવાનું છે. આગામી સિઝન માટે, અમારી પાસે નિકાસ ક્વોટા માટે ફાળવવા માટે પૂરતી ખાંડ રહેશે નહીં."
ભારતે મિલોને ગત સિઝનમાં વિક્રમી 11.1 મિલિયન ટનનું વેચાણ કરવા દીધા બાદ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ સિઝન દરમિયાન માત્ર 6.1 મિલિયન ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી તેમ રોઇટર્સે અહેવાલ આપ્યો હતો. અગાઉ 2016માં, ભારતે વિદેશમાં વેચાણને રોકવા માટે ખાંડની નિકાસ પર 20% ટેક્સ લગાવ્યો હતો.
રોઈટર્સના અહેવાલ મુજબ પશ્ચિમ રાજ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણી રાજ્ય કર્ણાટકના શેરડી ઉગાડતા ટોચના જિલ્લાઓમાં ચોમાસાનો વરસાદ - જે મળીને ભારતના કુલ ખાંડના ઉત્પાદનમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે - આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 50% જેટલો ઓછો છે તેમ હવામાન વિભાગ ડેટા દર્શાવે છે.
2023/24ની સિઝનમાં ઓછા વરસાદથી ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થશે અને 2024/25ની સિઝનમાં વાવેતર પણ ઘટશે, એમ ઉદ્યોગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. સ્થાનિક ખાંડના ભાવમાં આ અઠવાડિયે લગભગ બે વર્ષમાં સર્વોચ્ચ સ્તરે ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે સરકારે મિલોને ઓગસ્ટમાં વધારાના 200,000 ટનનું વેચાણ કરવાની મંજૂરી આપી હતી, એમ રોઇટર્સના અહેવાલમાં જણાવાયું હતું.
અન્ય એક સરકારી સૂત્રએ જણાવ્યુ હતુ કે ખાદ્ય ફુગાવો ચિંતાનો વિષય છે. ખાંડના ભાવમાં તાજેતરના વધારાથી નિકાસની કોઈ પણ શક્યતા દૂર થઈ જાય છે. ભારતમાં છૂટક ફુગાવો જુલાઈમાં 7.44% ની 15 મહિનાની ઊંચી સપાટીએ અને ખાદ્ય ફુગાવો 11.5% પર પહોંચ્યો - જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
-
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ












Click it and Unblock the Notifications
