ભારત સરકારનો મોટો નિર્ણય, હવે રૂપિયામાં આંતરરાષ્ટ્રિય વેપાર થઈ શકશે!
ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે ત્યારે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે. મળતી વિગતો અનુસાર, ભારત સરકારે વિદેશી વેપાર નીતિ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયામાં કરવાની મંજૂરી આપી છે.
નવી દિલ્હી : ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે ત્યારે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે. મળતી વિગતો અનુસાર, ભારત સરકારે વિદેશી વેપાર નીતિ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયામાં કરવાની મંજૂરી આપી છે. આ માટે વિદેશી વેપાર નીતિ અને પ્રક્રિયાઓમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

સત્તાવાર નિવેદનમં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે, ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણમાં રૂચિ વધી રહ્યો છે, આ સ્થિતિમાં સરકારે વિદેશથી થતા વેપારને રૂપિયામાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
11 જુલાઈએ આરબીઆઈએ રૂપિયાના વૈશ્વિક વ્યવહારો માટે એક મિકેનિઝમ તૈયાર કરી હતી. તેના આધારે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરળ ભાષામાં કહીએ તો, અત્યાર સુધી જો ભારત પોતાનો સામાન બીજા દેશમાં મોકલતું હતું તો તેની ચૂકવણી ડોલરમાં થતી હતી, પરંતુ નવા નિયમ મુજબ રૂપિયામાં ચૂકવણી કરી શકાશે. આવા વ્યવસાયિક વ્યવહારો માટે ભારતીય બેંકોએ એક વિશિષ્ટ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવું પડશે. જેમાં તેઓ વ્યવસાય કરવા માંગે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, યુકો અને યસ બેંકે આ માટે રશિયન બેંકો સાથે જોડાણ કર્યું છે.












Click it and Unblock the Notifications
