સંગ્રહખોરીને કારણે ફુગાવો વધે છે; રાજ્યો સંગ્રહખોરો સામે કડક પગલાં ભરે : અરૂણ જેટલી
નવી દિલ્હી, 4 જુલાઇ : નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે દર વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન સંગ્રહખોરી વધતી હોવાને કારણે કેટલાક ખાદ્ય પદાર્થોની કિંમતો એટલે કે ફુગાવો વધે છે. વધતી જતી મોંઘવારી માટે સંગ્રહખોરી જ જવાબદાર છે.
આ સાથે નાણામંત્રીએ એમ પણ જણાવ્યું કે ડુંગળીના ભાવો આ સમયગાળા દરમિયાન ગયા વર્ષની સરખામણીએ ઓછા છે. આ કારણે બજારોમાં અફરા-તફરીની સ્થિતિ નથી. સંગ્રહખોરો આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદના અનુમાનને કારણે ફાયદો ઉઠાવી રહ્યા છે. પાછલા દિવસોમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ થઇ શકે છે. જેના કારણે મોંઘવારી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અરૂણ જેટલીએ એમ પણ જણાવ્યું કે રાજ્ય સરકારોએ કિંમત પર નિયંત્રણ માટે સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.આ બાબતે કેન્દ્ર સરકાર તરફથી તેમને પૂરે પૂરું સમર્થન આપવામાં આવશે.
આ પહેલા નાણા મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે વસ્તુ અને સેવા કર જીએસટી (GST)ને જલ્દીમાં જલ્દી અમલી બનાવવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની સાથે આવકમાં થનારી ખોટ સાથે સંકળાયેલા મુદ્દે સમાધાન કરશે. જીએસટી નવી કર વ્યવસ્થા છે. જેમાં વર્તમાન અપ્રત્યક્ષ કરોને સમાવી લેવામાં આવશે. રાજ્યના નાણા મંત્રીઓ સાથેની બેઠક બાદ જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીના મુદ્દે વ્યાપક સહમતિ બનાવવામાં આવી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
