કાચા તેલના ભાવોમાં વૃદ્ધિ છતાં નિયંત્રણમાં છે ફુગાવો
કાચા તેલના ભાવોમાં ઝડપથી વધારો અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને જોતા નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારે ફુગાવાને કંટ્રોલમાં રાખવા માટે અત્યાર સુધીમાં સારુ કામ કર્યુ છે.
કાચા તેલના ભાવોમાં ઝડપથી વધારો અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને જોતા નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારે ફુગાવાને કંટ્રોલમાં રાખવા માટે અત્યાર સુધીમાં સારુ કામ કર્યુ છે. આ સાથે સરકારે સારા પાક અને કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે ખાદ્ય કિંમતોને પણ ઘટાડી છે. સપ્ટેમ્બર 2018 માં ભારતના હોલસેલ ફાવ ફુગાવો (ડબ્લ્યુપીઆઈ) વધીને 5.13 ટકા થઈ ગઈ, જે આ વર્ષે ઓગસ્ટમાં 4.53 ટકા હતુ.

સરકાર મૂલ્ય વૃદ્ધિના નિયંત્રણમાં
સપ્ટેમ્બર 2018 ના રોજ સમાપ્ત થતા હોલસેલ ભાવ સૂચકાંક (ડબ્લ્યુપીઆઈ) માં વાર્ષિક વૃદ્ધિ 4.98 ટકા હતી. ગયા ત્રણ ત્રિમાસિકમાં 4 ટકાથી વધુની વૃદ્ધિ બાદ, આ સમયગાળામાં ઉપભોક્તા ભાવ સૂચકાંક (સીપીઆઈ) 3.88 ટકા વધી ગયુ. જો કે ફુગાવામાં વૃદ્ધિ જરૂર થઈ છે પરંતુ આ તે સ્તરો સુધી નથી વધી જે કાચા માલમાં ઝડપી વૃદ્ધિ અને રૂપિયાના ઘટતા મૂલ્ય માટે મુખ્ય કારણ માનવામાં આવે.
ફુગાવાની વાત કરીએ તો એ કંઈક એવુ છે જે બજારમાં વસ્તુઓના ભાવને પ્રભાવિત કરે છે. જો ફુગાવો તપાસમાં છે તો તેનો અર્થ છે કે સરકાર મૂલ્ય વૃદ્ધિના નિયંત્રણમાં છે. આ ઉપભોક્તાઓ માટે એક સારા સમાચાર છે પરંતુ તે ખર્ચના સંદર્ભમાં સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણકે ફુગાવા બાદ ખાદ્ય કિંમતોમાં ઘટાડા સાથે ખેડૂતના પાકોની બજારમાં ઓછી કિંમતોના કારણે સરકારને વધુ બોજ ઝેલવો પડી શકે છે. સરકાર પોતાની એમએસપી નીતિ અને પ્રધાનમંત્રી મોદીના 2022 સુધી કૃષિ આવક બમણી કરવાના ઉદ્દેશ્યથી પ્રતિબદ્ધ છે.

ફુગાવો નિયંત્રણ ઉપભોક્તાઓ માટે સારુ
બજેટની સમસ્યા ઉપરાંત ફુગાવો નિયંત્રણ ઉપભોક્તાઓ માટે સારુ છે. અનાજ, દૂધ અને ઓઈલસીડ્ઝમાં ફુગાવામાં ઘટાડો થયો છે જ્યારે અનાજ, ઘઉં અને બટાકામાં ક્રમશઃ 5.54%, 8.87% અને 80.13% ની વૃદ્ધિ થઈ છે. જે ગયા સપ્તાહે ચાલુ ડેટામાં બતાવવામાં આવ્યુ હતુ. હોલસેલમાં ડુંગળી અને ઈંડા અને માંસ માટે ફુગાવામાં ઘટાડોની ગતિ ધીમી થઈ. ઘણા લોકોએ કાચા તેલની વધતી કિંમતોના કારણે ફુગાવો વધવાની આશા કરી કારણકે તેલના ભાવ અને ફુગાવાને હંમેશા જોડીને જોવામાં આવે છે. પરંતુ અહીં તેલના ભાવોમાં ઉતાર ચઢાવ બાદ પણ ફુગાવો એક જ દિશામાં જોવા મળ્યો છે. કાચા તેલના વધતા ભાવ ડબલ નુકશાન કરશે. કારણકે અર્થવ્યવસ્થાના નાણાકીય અને ચાલુ ખાતા નુકશાન, જે ફુગાવા નીતિ પર અર્થવ્યવસ્થા પ્રભાવ અને અર્થવ્યવસ્થામાં વપરાશ અને રોકાણ વ્યવહાર પર પ્રભાવ પાડે છે.

ચૂંટણી પહેલા ફુગાવો ઝડપથી વધી રહ્યો હતો
2014 ની સામાન્ય ચૂંટણી પહેલા ફુગાવો ઝડપથી વધી રહ્યો હતો, સીપીઆઈ બે અંકમાં વધી રહ્યો હતો. સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) હેઠળ વધતો ફુગાવો ઉચ્ચ ખાદ્ય કિંમતો પાછળ આવ્યો હતો. માર્ચ 2014 સુધી સીપીઆઈ-ખાદ્ય અને ડબ્લ્યુપીઆઈ-પ્રાથમિક ખાદ્ય લેખ ઘટક બંને સીપીઆઈ તુલનામાં ઝડપથી વધી રહ્યા હતા. જો કે પહેલા ભારતીય રિઝર્વ બેંકે મોનિટરી નીતિ અપેક્ષાઓને પ્રતિબંધિત કરવા માટે ડબ્લ્યુપીઆઈ ફુગાવાનો ઉપયોગ કર્યો હતો. હવે આ સીપીઆઈ ફુગાવો છે જેને મોટાપાયે ધ્યાનમાં રાખવામાં આવે છે. સામાન્ય માણસ માટે છૂટક ફુગાવા દરને જાળવી રાખવુ હંમેશા સારુ હોય છે જે સીપીઆઈ કે ઉપભોક્તા મૂલ્ય ફુગાવાની સંખ્યાને ધ્યાનમાં રાખે છે. આનો અંદાજ તમે આ ડાયગ્રામથી લગાવી શકો છો.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
