Israel-Iran Tension: ઈરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થશે, તો આપણા પર શું અસર થશે?
Iran-Israel dispute: એક સમયના ગાઢ મિત્રો ગણાતા બે મિત્રો વચ્ચે હાલ તણાવ એટલો વધી રહ્યો છે કે, બંનેએ એકબીજા પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થઈ શકે છે, પરંતુ તેની અસર ભારત અને આપણે પણ ભોગવવી પડી શકે છે. મધ્ય પૂર્વના આ બે દેશો વચ્ચેના તણાવથી સમગ્ર વિશ્વના રોકાણકારો ડરી ગયા છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે.
ભારત પર પણ થશે અસર - ઈરાન-ઈઝરાયેલ તણાવમાં ભારતીય શેરબજાર દબાણમાં છે. શેરબજાર ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવી રહ્યું હતું. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ બાદ તેમાં 1000 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
નિફ્ટી, જે એક સપ્તાહ પહેલા 22,800ની આસપાસ હતો, તે આ લડાઈ બાદ ઘટીને 22,150 થઈ ગયો હતો. આ યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થાની સાથે સાથે ભારતના અર્થતંત્રને પણ અસર થવા લાગી છે.
ભારતના વેપાર પર કેવી અસર પડશે? - બંને દેશો સાથે ભારતના વેપાર સંબંધો છે. ગયા વર્ષે ભારતે ઈરાન સાથે લગભગ 1.1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, અને એકલા ઈરાન સાથે ભારતે 20,800 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જેમાં ભારતે ઈરાનને ચા, કોફી, બાસમતી ચોખા અને ખાંડની નિકાસ કરી હતી.

જ્યારે ભારત ઈરાન પાસેથી પેટ્રોલિયમ કોક, ડ્રાય ફ્રૂટ્સ અને અન્ય કેટલીક વસ્તુઓ ખરીદે છે. જો ઈઝરાયેલની વાત કરીએ, તો ભારતનો ઈઝરાયેલ સાથે 89 હજાર કરોડ રૂપિયાનો વેપાર છે.
સપ્લાય ચેઇન પર પણ થશે અસર - જો ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ હોર્મુઝ સ્ટ્રેટને અસર કરશે, તો ભારતને આંચકો લાગશે. સીએનબીસીના રિપોર્ટ અનુસાર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રૂટ ક્રૂડ ઓઈલની આયાત માટે સૌથી મહત્વપૂર્ણ છે.
જો આ રૂટ પર અસર થશે, તો તેની અસર ભારત પર પડશે, કારણ કે ભારત કાચા તેલની આયાત પર નિર્ભર છે. મધ્ય પૂર્વમાં તણાવની કાચા તેલની કિંમતો પર ભારે અસર પડી શકે છે. નિષ્ણાતોના મતે, ક્રૂડ ઓઇલના ભાવ, જે શુક્રવારે બેરલ દીઠ 90 ડોલર આસપાસ બંધ થયા હતા, તે આગામી થોડા દિવસોમાં 100 ડોલરના સ્તરને પાર કરી શકે છે.
મોંઘવારીમાં થશે વધારો - એવું નથી કે કાચા તેલની કિંમતો તમને અસર કરશે, પરંતુ આ તણાવ સોના, ચાંદી, તાંબા જેવી ધાતુઓના ભાવને પણ અસર કરી શકે છે. આ યુદ્ધની અસરથી સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધવાની શક્યતા છે. જો ફુગાવો નહીં ઘટે તો સેન્ટ્રલ બેંક વ્યાજદરમાં ઘટાડો નહીં કરે. લોન મોંઘી થશે અને બજારને પણ અસર થશે.












Click it and Unblock the Notifications
