મોટા સમાચાર: BSNL બંધ થઈ શકે છે! આ કારણે કેન્દ્ર સરકાર પગલાં લઈ શકે છે
ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયોના પ્રવેશ સાથે બાકીની ટેલિકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી ગઈ છે. જીયોની સસ્તી અને ફ્રી યોજનાને લીધે, ટેલિકોમ કંપનીઓ વચ્ચેના ભાવ અને ડેટા યુદ્ધમાં વધારો થયો છે.
ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયોના પ્રવેશ સાથે બાકીની ટેલિકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી ગઈ છે. જીયોની સસ્તી અને ફ્રી યોજનાને લીધે, ટેલિકોમ કંપનીઓ વચ્ચેના ભાવ અને ડેટા યુદ્ધમાં વધારો થયો છે. ઘણી ટેલિકોમ કંપનીઓએ આ પ્રાઇસના યુદ્ધમાં તેમના વ્યવસાયો બંધ કરવા પડે તો, ઘણાને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હવે જીયોને લીધે સરકારી ટેલિકોમ કંપની BSNLને પણ મોટો ખતરો થયો છે. સતત નુકસાનમાં રહેલ BSNL બંધ થવાની કગાર પર છે. કેન્દ્ર સરકારે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ને બંધ કરવાનું સૂચન કર્યું છે.
આ પણ વાંચો: ALERT: ચિપ વાળું નવું ATM કાર્ડ સલામત નથી, SBI એકાઉન્ટ ધારકોને ઇમેઇલ મોકલી રહી છે

બંધ થવા જઈ રહ્યું છે BSNL
સરકારી ટેલિકોમ કંપની BSNL સતત નુકશાનમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકાર પહેલેથી જ ડિસઇન્વેસ્ટમેન્ટ માટે તૈયારી કરી રહી હતી, પરંતુ હવે સરકાર તેને બંધ કરવા વિચારી રહી છે. આ સમાચાર પછી હવે BSNL ના કર્મચારીઓ અને BSNLના વપરાશકર્તાઓ પર ખતરો છે. જ્યાં કર્મચારીઓ પર નોકરીને લઈને ખતરો છે, તો વપરાશકર્તાઓ તેમના કનેક્શનને લઈને ચિંતિત છે.

નુકશાનમાં બીએસએનએલ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, 2017-18ના નાણાકીય વર્ષના અંત સુધીમાં બીએસએનએલનું કુલ નુકસાન રૂ. 31,287 કરોડ પહોંચી ગયું છે. સતત ખોટમાં ચાલતી કંપની વિશે ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજનએ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કંપનીને બંધ કરવા અંગે વિચારણા કરવાનું કહ્યું હતું. બેઠકમાં બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે કંપનીની નાણાકીય સ્થિતિ, ખોટ અને રિલાયન્સ જિયો આવવાને લીધે મુશ્કેલી વધી છે. કંપનીની સ્થિતિ જોઈને, જ્યાં સરકાર પ્રથમ ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારી કરી રહી હતી, ત્યાં હવે કંપનીને કારોબાર બંધ કરવા પર વિચાર કરવા માટે કહ્યું છે. સરકારે બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓને તમામ વિકલ્પો પર વિચાર કરવા માટે કહ્યું છે.

BSNL પાસે શું વિકલ્પ છે
સરકારએ બીએસએનએલ સામે ત્રણ વિકલ્પો મુક્યા છે પ્રથમ કંપનીમાં રણનીતિક ડિસઇન્વેસ્ટમેન્ટ, બીજો કંપનીનો કારોબાર બંધ કરવામાં આવે અને ત્રીજો નાણાકીય સહાય સાથે કંપનીને મજબૂત કરવામાં આવે. તો બીએસએનએલએ સરકારની સામે એક બીજો વિકલ્પ મુક્યો છે, જેના હેઠળ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે તેમને વીઆઇએસ અને રિટાયરમેન્ટની ઉંમરને 60 થી ઘટાડી 58 કરવાની વાત કરી છે. જો આવું થાય તો, કંપની પગાર મતમાં રૂ 3,000 કરોડની બચત કરી શકશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
