Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કલ્યાણ જ્વેલર્સ મેગા દિવાલી ડિસ્કાઉન્ટ્સ અને ભેટસોગાદો ઓફર

ભારતની સૌથી મોટી અને સૌથી વધુ પસંદગીની જ્વેલરી બ્રાન્ડે મેગા દિવાલી ઓફર્સની જાહેરાત કરી છે

ભારતની સૌથી મોટી અને સૌથી વધુ પસંદગીની જ્વેલરી બ્રાન્ડે મેગા દિવાલી ઓફર્સની જાહેરાત કરી છે, જેમાં વિશ્વમાં એનાં ગ્રાહકોને 3 લાખ ગોલ્ડ કોઇન સ્વરૂપેની ભેટસોગાદ સામેલ છે. આ ઓફરનાં ભાગરૂપે કલ્યાણ જ્વેલર્સે વીકલી રાફલ ડ્રો દ્વારા ભેટસોગાદની ખાતરી પણ આપી છે અને એક ભાગ્યશાળી ગ્રાહકને કલ્યાણ જ્વેલર્સ પાસેથી 100 ગોલ્ડનાં સિક્કા જીતવાની તક મળે છે.

Kalyan Jewellers

આ સમયગાળા દરમિયાન મૂલ્ય સંવર્ધન કે વીએ તરીકે જાણીતા મેકિંગ ચાર્જીસ કે ઘડામણ ગોલ્ડ જ્વેલરી * પર રૂ. 199થી શરૂ થશે. ઉપરાંત ગ્રાહકો ગોલ્ડ જ્વેલરીનાં દરેક 8 ગ્રામની ખરીદી પર રૂ. 1,000/-નાં ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે તથા રત્નજડિત જ્વેલરીની ખરીદી પર ફ્રી ગોલ્ડ કોઇન્સ મેળવી શકે છે.

કલ્યાણ જ્વેલર્સ વર્ક વેર ડિઝાઇનોથી લઈને બ્રાઇડલ ડિઝાઇનો સુધી ડાયમન્ડ જ્વેલરીની વિસ્તૃત અને વિશિષ્ટ રેન્જ ઓફર કરે છે. બ્રાન્ડે આ દિવાળીએ ગ્રાહકો માટે "બિગ ડાયમન્ડ સેલ"ની જાહેરાત પણ કરી છે, જેમાં કલ્યાણ જ્વેલર્સનાં તમામ શોરૂમમાં ડાયમન્ડ જ્વેલરી પર ફ્લેટ 20 ટકા ડિસ્કાઉન્ટની ઓફર કરી છે. આ ઓફર 30 નવેમ્બર, 2019 સુધી વેલિડ છે.

આ પ્રસંગે કલ્યાણ જ્વેલર્સનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ટી એસ કલ્યાણરામને કહ્યું હતું કે, "દિવાળી આનંદ, ઉત્સવ, સમૃદ્ધિ અને નવી શરૂઆતનો તહેવાર છે. એટલે નવી જ્વેલરી ખરીદવાનો ઉચિત અને પવિત્ર સમય છે. આ તહેવારનાં ઉત્સાહને ધ્યાનમાં રાખીને અમારો ઉદ્દેશ શ્રેષ્ઠ ઓફરો સાથે જ્વેલરીની શ્રેષ્ઠ જોડી સાથે રિટેલનો વિશિષ્ટ અનુભવ આપવાનો છે. કલ્યાણ જ્વેલર્સમાં અમારો ઉદ્દેશ ગ્રાહકોને ગ્રાઉન્ડ ડિસ્કાઉન્ટનો લાભ લઈને તેમની ખરીદીમાંથી વધારે મૂલ્ય મેળવવામાં મદદ કરવાનો છે, જે આ સિઝનમાં આનંદ વધારશે એ નિશ્ચિત છે."

ઉપરાંત ગ્રાહકો કલ્યાણનાં ગોલ્ડ જ્વેલરી પર નવા 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેશન ગોલ્ડ જ્વેલરીનાં લાભ મેળવવા સક્ષમ બનશે. કલ્યાણની આ વિશેષ પહેલ બ્રાન્ડની એનાં વફાદાર ગ્રાહકો પ્રત્યેની કટિબદ્ધતાને વધારશે. જ્યારે કલ્યાણ જ્વેલર્સમાં રિટેલ જ્વેલરી શુદ્ધતા માટેની વિવિધ કસોટીઓમાંથી પસાર થાય છે અને બીઆઇએસ હોલમાર્ક ધરાવે છે, ત્યારે 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ એક્સચેન્જ કે રિસેલ દરમિયાન ઇનવોઇસમાં ઉલ્લેખિત શુદ્ધતાનાં મૂલ્ય જેટલી જ ચુકવણી ગ્રાહક કરે છે એની ખાતરી આપે છે. ઉપરાંત આ સર્ટિફિકેશન દેશમાં કલ્યાણ જ્વેલર્સનાં કોઈ પણ શોરૂમમાં આભૂષણોનું આજીવન ફ્રી મેઇન્ટેનન્સ સુનિશ્ચિત કરે છે.

કલ્યાણ જ્વેલર્સ સમકાલીન અને પરંપરાગત છાપમાં વિવિધ પ્રકારની બારીક ડિઝાઇન ધરાવતી જ્વેલરી ઓફર કરે છે, જેમાં ઇયરિંગ, બંગડીઓ અને નેકલેસ સામેલ છે. કંપનીએ એનાં કાયમી ગ્રાહકો માટે ભારતભરમાં કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ તેજસ્વી - પોલ્કી જ્વેલરી, મુધ્રા - હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી, નિમાહ - ટેમ્પલ જ્વેલરી, ગ્લો - ડાન્સિંગ ડાયમન્ડ, ઝિઆહ - ડાયમન્ડ જ્વેલરી જેવા સોલિટેઇર, અનોખી - અનકટ ડાયમન્ડ, અપૂર્વ - વિશેષ પ્રસંગો માટે ડાયમન્ડ, અંતરા - વેડિંગ ડાયમન્ડ અને હેરા - ડેઇલી વેર ડાયમન્ડ અને રંગ - કિંમતી રત્નોની જ્વેલરી સાથે બ્રાઇડલ જ્વેલરી રેન્જ મુહૂર્ત ઓફર કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X