મોદી સરકાર ડિજિટલ પેમેન્ટ પર આપશે કૅશબેક અને ડિસ્કાઉન્ટ
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. ડિજિટલ પેમેન્ટને વધારવા માટે સરકાર એક નવા વિચાર પર કામ કરી રહી છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. ડિજિટલ પેમેન્ટને વધારવા માટે સરકાર એક નવા વિચાર પર કામ કરી રહી છે, જે મુજબ જો ગ્રાહકોને કૅશબેક અને MRP પર ડિસ્કાઉન્ટનો લાભ મળશે. અહેવાલ મુજબ મહેસૂલ વિભાગના પ્રસ્તાવ અંતર્ગત રોકડની જગ્યાએ ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકોને MRP પર ખાસ ડિસ્કાઉન્ટ અપાશે. આ ડિસ્કાઉન્ટ 100 રૂપિયા સુધીનું હોઈ શકે છે. ઉદ્યોગો ડિજિટલ બને તે માટે આ પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે.

GST કાઉન્સિલમાં મૂકાશે પ્રસ્તાવ
ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધારવા માટે તૈયાર કરાયેલો આ પ્રસ્તાવ મહેસૂલ વિભાગની 4 મેના રોજ યોજાનારી GST કાઉન્સિલની મીટિંગમાં પણ રજૂ કરશે. આ મીટિંગમાં કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી અને દરેક રાજ્યના નાણા પ્રધાન હાજરી આપશે. અહેવાલ મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધારવા માટે PMOમાં યોજાયેલી બેઠકમાં પણ ચર્ચા થઈ હતી.

PMO મીટિંગ
આ મીટિંગમાં ડિજિટલ વ્યવહાર વધારવા માટે ઈન્સેટિવ આપવાની ત્રણ રીત પર ચર્ચા થઈ હતી. કૅશબેક ઉપરાંત કોઈ બિઝનેસને ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી થયેલા ટર્નઓવર પર ટેક્સ ક્રેડિટ આપવાનો પણ પ્રસ્તાવ મૂકાયો હતો. ઉદ્યોગોને જેમ કાચા માલ પર ચૂકવાયેલા ટેક્સમાં ક્રેડિટ મળે છે, તેવી જ વ્યવસ્થા ગોઠવવાની પણ વાત હતી.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન
ડિજિટલ ટ્રાંઝેક્શનનો એક ચોક્કસ આંકડો પાર કરનાર ઉદ્યોગો GST ચૂકવવામાંથી પણ બચી શકે છે. અહેવાલ અનુસાર મહેસૂલ વિભાગે કૅશબેકના વિકલ્પને સહમતી આપી છે. મહેસૂલ વિભાગ માને છે કે કૅશબેક લાગુ કરવું સહેલું છે. અને તેનો દુરુપયોગ પણ અઘરો છે. સાવધાની રાખવા માટે મહેસૂલ વિભાગ કોઈ પણ ઉદ્યોગના ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઈચ્છે ત્યારે ચેક કરશે, ત્યાર બાદ જ કૅશબેક તેમના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે.

રોકડ વ્યવહારમાં કામ કરવાની રીત
ડાયરેક્ટ ટેક્સ પર થતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં બીજી કોઈ રીતે ઈન્સેન્ટિવ આપી શકાય કે નહીં તેની પણ PMOમાં થયેલી મીટિંગમાં ચર્ચા થઈ હતી. ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટે એ પણ માહિતી આપી છે કે કેવી રીતે રોકડ વ્યવહાર ઓછા કરવા માટે પગલાં લઈ શકાય. ઉલ્લેખનીય છે કે નાના ઉદ્યોગો જે ટેક્સ સ્કીમનો ભાગ છે, તેમને માટે જિટિલ રીતે થયેલા ટર્નઓવરના પ્રોફિટમાં રેટ ઓફ કેલ્ક્યુલેશન 8 ટકાથી ઘટાડીને 6 ટકા કરાયો છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી








Click it and Unblock the Notifications
