RBIનો આદેશ, શનિવારે અને રવિવારે પણ ખુલ્લી રહેશે બેંકો
ભારતીય રિર્ઝવ બેંક દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ 1 એપ્રિલે તમામ શહેરોની તમામ બેંકો ખુલ્લી રહેશે.
ભારતીય રિઝર્વ બેંકો દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ 1 એપ્રિલે તમામ શહેરોની તમામ બેંકો ખુલ્લી રહેશે. નોંધનીય છે કે 1 એપ્રિલના રોજ રવિવાર છે. પણ તેમ જતા રજાના દિવસને કેન્સલ કરીને તમામ બેંકોને ચાલુ રાખવાનો નિર્ણય આરબીઆઇ દ્વારા લેવામાં આવ્યો છે. વળી તેમાં સરકારી સમેત કેટલીક ખાનગી બેંકો પણ કાર્યરત રહેશે. આરબીઆઇએ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી બેંકોને કાર્યરત રાખવાનો આદેશ આપ્યો છે.
આરબીઆઇ/2016-2017/256 મુજબ 24 માર્ચ 2017ના રોજ આ સૂચના જાહેર કરવામાં આવી હતી. અને તેમાં મુખ્ય મહાપ્રબંધક રાજેન્દ્ર કુમારના હસ્તાક્ષર પણ છે. નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે કે સરકારી રસીદ તેમજ ચૂકવણીના કાર્યોની સુવિધા માટે સરકારી કામકાજનું સંચાલન કરતી તમામ બેંકો ચાલુ નાણાંકીય વર્ષના તમામ દિવસો, તેમ જ 1 એપ્રિલ, 2017 (શનિ,રવિની બધા રજાઓ સહિત) ચાલુ રહેશે. જો કે ગ્રાહકોએ આ સમાચાર જાણીને ખુશી વ્યક્ત કરી છે.