નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કોઈ કટૌતી નહિ

નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કોઈ કટૌતી નહિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કટૌતીનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવે લઘુ બચત યોજના એટલે કે નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજ દર જ ચાલુ રહેશે. નિર્મલા સીતારમણે આ વાતની જાણકારી 1 એપ્રિલે સવારે ટ્વીટ કરીને આપી છે. નાણામંત્રીએ જણાવ્યું કે આ ઘોષણા પરત લેવાની સાથે જ જૂના દર જ લાગૂ રહેશે. નિર્મલા સીતારમણે ટ્વીટ કર્યું, "ભારત સરકારની લઘુ બચત યોજનાઓની વ્યાજ દર જૂના વ્યાજ દર પર બની રહેશે, જે નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ક્વાર્ટરમાં હતા. એટલે કે માર્ચ 2021ના વ્યાજ દર જ ચાલુ રહેશે. જૂના આદેશને પાછો ખેંચી લેવાશે."

nirmala sitharaman

કેન્દ્ર સરકારે બુધવારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ઘટાડવાનો ફેસલો લીધો હતો. નાણા મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું કે નાની બચત યોજનાઓ પર વ્યાજ દર 1.10 ટકા સુધી ઘટાડવામાં આવ્યો છે. નવા દર એક એપ્રિલથી લાગૂ થઈ જશે. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ આદેશ પાછો ખેંચી લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી કહ્યું કે નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજ દર જ ચાલુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે અમારી સાથે ટેલિગ્રામમાં જોડાવ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X