For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NTPC ઇચ્છે છે વિનિવેશ પ્રક્રિયા માર્ચ પહેલા શરૂ થાય

|
Google Oneindia Gujarati News

ntpc
કોલકત્તા, 10 ડિસેમ્બર : સરકારની માલિકીની દેશની અગ્રણી વિદ્યુત ઉત્પાદક કંપની એનટીપીસીએ રવિવારે જણાવ્યું હતું કે કંપની માર્ચ, 2013 પહેલા પ્રસ્તાવિત વિનિવેશની પ્રક્રિયા શરૂ કરવા ઇચ્છે છે.

એનટીપીસીના ચેરમેન અરૂપ રૉય ચૌધરીએ જણાવ્યું કે "આ માટેની રજૂઆત અંગે 15 ડિસેમ્બરના રોજ વિનિવેશ વિભાગ સાથે એક બેઠક યોજવામાં આવનાર છે."

ચૌધરીએ વિનિવેશ પ્રક્રિયા ક્યાં સુધીમાં શરૂ કરવામાં આવશે તેના જવાબમાં જણાવ્યું કે "વિનિવેશ પ્રક્રિયા ક્યારે શરૂ કરવી તેનો નિર્ણય લેવાનો અધિકાર વિનિવેશ વિભાગનો છે. જો કે અમે ઇચ્છીએ છે કે આ પ્રક્રિયા માર્ચ પહેલા શરૂ થાય અને માર્ચ સુધીમાં પૂરી થાય."

કેન્દ્ર સરકારે કંપનીમાં 9.5 ટકા હિસ્સાના વેચાણ માટે વ્યાવસાયિક બેંકો પાસે અરજી મંગાવી છે. આ માટેની પ્રક્રિયા નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવી છે. સરકારને આશા છે કે આ પ્રસ્તાવિત વિનિવેશથી લગભગ 13,100 કરોડ રૂપિયા પ્રાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં એનટીપીસીમાં સરકારની હિસ્સેદારી 84.50 ટકા છે. વિનિવેશ બાદ સરકારનો હિસ્સો ઘટીને 75 ટકા રહેશે.

English summary
NTPC wants disinvestment process starts before March.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X