For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃપિયા યાત્રીઓ ધ્યાન આપે: રેલવે ભાડાં થઇ શકે છે વધારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pawan-bansal
નવી દિલ્હી, 29 ઑક્ટૉબર: યાત્રીગણ કૃપિયા ધ્યાન દે... ટૂંક સમયમાં તમારા ખિસ્સું હળવું થશે. વાત એમ છે કે રેલવેના ભાડામાં વધારો કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. વર્ષો બાદ રેલવે મંત્રાલય સ્વતંત્ર રીતે કોંગ્રેસ પાસે આવ્યું છે અને આવતાંની સાથે ભાડામાં વધારો કરવાના સંકેત આપી દિધાં છે. ગઇકાલે રાત્રે રેલમંત્રીનું પદ સંભાળવાની સાથે જ પવન બંસલે સંકેત આપ્યાં છે કે રેલવેના ભાડામાં ચોક્ક્સ વધારો થશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સામાન્ય પ્રજાને વધુ એક બોજો સહન કરવાની તૈયારી રાખવી પડશે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેલવે બજેટ પહેલાં જ રેલવેના ભાડામાં વધારો થઇ શકે છે.

અધીર રંજન ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું રેલવેના નુકસાનની ભરપાઇ કરવા માટેનો આ એકમાત્ર વિકલ્પ છે તો તેમને કહ્યું હતું કે રેલવેનું ભાડું વધારવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ રેલવેના ભાડામાં વધારો કર્યો હતો તો તેમને તેમનું પદ છોડવું પડ્યું હતું. ત્રિવેદીએ રેલવે બજેટમાં ભાવવધારાની જાહેરાત કરી હતી ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ તેમની પાસે રાજીનામું માંગી અને તેમની જગ્યાએ મુકુલ રોયને રેલવે મંત્રી બનાવી દિધા હતા.

કેબિનેટમાં ફેરબદલ બાદ પવન બંસલને રેલવે મંત્રી અને અધીર રંજન ચૌધરીને રાજ્યના રેલવે મંત્રી બનાવવામાં આવ્યાં છે. તો બીજી તરફ રેલવેના ભાડાના વધારાને લઇને વિપક્ષ હુમલાના મૂડમાં છે અને તેમનું કહેવું છે કે જો આ વખતે સામાન્ય જનતા પર મોંઘવારીની માર પડશે તો જોરદાર વિરોધ કરવામાં આવશે.

English summary
Soon after taking charge as the Railway Minister, Pawan Kumar Bansal on Monday hinted at revising passenger fares. “We are open to revising passenger fares if it is needed to improve services,” Bansal told reporters in New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X