PM Surya Ghar Yojana : પીએમ સુર્ય ઘર યોજનાનો લાભ કેવી રીતે લેવો? આવી રીતે ફ્રી મળશે 300 યુનિટ ફ્રી વિજળી
હાલમાં જ ભારત સરકારે પીએમ સુર્ય ઘર યોજનાની જાહેરાત કરી છે. આ યોજનામાં સરકારે તમામ ઘરોને સોલાર દ્વારા 300 યુનિટ મફત વિજળીની વાત કરી છે.
જો તમે પણ આ સ્કીમમાં અરજી કરવા માગો છો તો અમે તમને આ યોજનાની વિશેષતાઓ અને તેને લાગુ કરવાની પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે તમારા ઘરે સોલર પેનલ લગાવો છો તો તમને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. જેને તમે ઓનલાઈન વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો.
આ સિવાય તમને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. આ ઉપરાંત જો તમારી પાસે વધારાની વીજળીનું ઉત્પાદન છે તો તમે તેને વેચીને 17,000 થી 18,000 રૂપિયા કમાઈ શકો છો. હાલમાં સરકારે આ યોજના માટે 75000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
સરકારે આ સ્કીમ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે અન્ય ઘણા પ્રયાસો પણ કર્યા છે, જે અંતર્ગત જો તમે બેંક લોન લો છો તો તમને તેના પર રિબેટ આપવામાં આવશે અને સબસિડીના પૈસા પણ તમારા ખાતામાં આવશે.
આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો તમારે ઓનલાઈન જઈને અરજી કરવી પડશે. આ માટે સરકારે એક વેબસાઈટ પણ આપી છે જેના પર તમે સરળતાથી સોલાર પેનલ લગાવવા માટે અરજી કરી શકો છો.
અરજી કરવાની રીત
- જો તમે પીએમ સૂર્ય ઘર યોજના માટે અરજી કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા વેબસાઇટ https://pmsuryaghar.gov.in ની મુલાકાત લેવી પડશે.
- અહીં તમારે રૂફટોપ સોલરના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- તમારે સૌથી પહેલા આ વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- આ પછી તમે અહીં ઉપલબ્ધ સબસિડીની પણ ગણતરી કરી શકો છો.
- આ માટે તમારે એક અંદાજ આપવો પડશે કે તમે એક મહિનામાં કેટલી વીજળીનો ખર્ચ કરો છો અને તમારું બિલ કેટલું છે. આ પછી તમે સરળતાથી તમારી બચતની ગણતરી કરી શકો છો.
ભારત સરકાર સૂર્ય ઘર યોજના હેઠળ એક કરોડ પરિવારોને લાવવાની યોજના ધરાવે છે. આનાથી દેશમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન મળશે અને લોકો માટે રોજગારીની નવી તકો પણ ઊભી કરી શકાશે.
આ ઉપરાંત તેના ઉપયોગથી વીજળીનો વપરાશ ઘટશે અને તેથી વીજળીનું બિલ પણ ઘટશે. શક્ય છે કે ભવિષ્યમાં લોકો પોતાની જમીન અને છત પર સોલાર પેનલ લગાવીને પૈસા કમાય.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
