ભારતીય રેલવેનું ખાનગીકરણ અમારી ઇચ્છા નથી, ઇરાદો નથી કે નથી વિચારણા: મોદી
નવી દિલ્હી/વારાણસી, 25 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેના ખાનગીકરણની અફવાઓને ગુરુવારે ભારદઇને નકારી કાઢી હતી. પોતાની વારાણસી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીઝલ રેલ એન્જીન કારખાનાના વિસ્તરણના અવસરે જણાવ્યું કે સરકારની રેલવેના ખાનગીકરણ અંગે કોઇ યોજના નથી. તેમણે એમ પણ જણાવ્યું કે ઓછા વ્યાજ મળતા પૈસા અને ટેકનિકને રેલવેના વિકાસ અને આધુનિકીકરણમાં લગાવવામાં કોઇ વાંધો નથી. આ દિશામાં તેમની સરકાર આગળ વધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેના કર્મચારીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે 'આપમાંથી અનેક લોકો હશે જે 20-22 વર્ષની વયના હતા ત્યારથી રેલવે સાથે જોડાયેલા હશે. પરંતુ હું તો જન્મ્યો ત્યારથી રેલવે સાથે જોડાયેલો છું આ કારણે આપ લોકોથી વધારે પ્રેમ મને રેલવે સાથે છે.'

ભારતીય રેલવેના ખાનગીકરણની અફવાઓ અંગે તેમણે જણાવ્યું કે 'જે લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે કે રેલવેનું ખાનગીકરણ થવાનું છે, તે એકદમ ખોટું છે. મારા કરતા વધારે પ્રેમ રેલવેને કોઇ કરી શકે તેમ નથી. રેલવેના ખાનગીકરણ અંગે ગપ ચલાવવામાં આવી રહી છે. તે માટેની અમારી ઇચ્છા નથી, ઇરાદો નથી કે નથી અમારો વિચાર. અમે આ દિશામાં ક્યારેય જઇ શકીએ તેમ નથી. આપ ચિંતા ના કરો.'
મોદીએ જણાવ્યું કે 'દેશના ગરીબો માટે પુલ, હોસ્પિટલ, રોડ બનાવવા માટે જે પૈસા કામમાં આવવા જોઇએ, તે સરકારી ખજાનાના પૈસાને દર વર્ષે રેલવેને જીવિત રાખવા માટે નાખવા પડે છે. ક્યાં સુધી આપણે ગરીબોના નાણા રેલવેમાં નાખતા રહીશું? અને જો ક્યાંકથી ઓછા વ્યાજે પૈસા મળે છે તો સમજદારી એમાં જ છે કે ગરીબોના રૂપિયાને બદલે ધન્ના શેઠના પૈસા ત્યાં લગાવવામાં આવે.'
નરેન્દ્ર મોદીએ આગળ એમ પણ જણાવ્યું કે 'આજે દુનિયામાં ઓછા વ્યાજે પૈસા મળે છે. તેને અમે રેલવેના વિકાસમાં લગાવવા માંગીએ છીએ. તેનાથી રેલવે કર્મચારીઓ અને દેશનું ભલું થશે. અમે રેલવેનું ખાનગીકરણ કરવા નથી જઇ રહ્યા. રૂપિયો રેલવેમાં આવે, ડોલર રેલવેમાં આવે કે પાઉન્ડ રેલવેમાં આવે, આપને શું ફરક પડે છે, આપના પૈસા તો આવી જ રહ્યા છે.'
મોદીએ એમ પણ જણાવ્યું કે તેમની સરકારને રેલવેના આધુનિકીકરણ માટે વિદેશી ટેકનીકનો ઉપયોગ કરવા સામે પણ કોઇ વાંધો નથી. તેમણે જણાવ્યું કે 'જો રેલવે યુનવર્સિટીમાં જાપાન, ચીનથી મદદ મળે છે તો ટેકનિકલ મદદ મેળવવામાં શું ખોટું છે? આ કામ જ આ સરકાર કરવા માંગે છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
