રેલભાડામાં વધારાના અણસાર નહી, ટિકીટ પર બાર કોડ લાગશે
જો કે આ પણ સામાન્ય વધારો હશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રી પવન બંસલે લગભગ બે મહિના પહેલાં જ રેલવેની નબળી નાણાંકીય સ્થિતીનો હવાલો આપી રેલ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો કર્યો હતો.
મળતી માહિતી મુજબ રેલ ટિકીટના દલાલો પર અંકુશ માટે આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. તો રેલવે ટિકીટ પર બારકોડ કોડીંગની પણ તૈયારી કરવામાં આવી રહી છે. જેથી ટિકીટની દલાલી ઓછી થઇ શકે અને તેનો દુરૌપયોગ ન થાય. આ ઉપરાંત 800 રેલવે સ્ટેશન પર પે એન્ડ યૂઝ ટોયલેટ બનાવવાની તૈયારી છે. લગભગ પાંચ રૂપિયામાં તેનો લાભ યાત્રીઓ લઇ શકશે.
આ ઉપરાંત રેલ બજેટમાં સફાઇ અને મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવશે. ફ્યૂઝ એડજસ્ટમેન્ટ ચાર્જ સાથે સાથે બીજા સરચાર્જ લગાવવામાં આવી શકે છે. આ વખતે રેલ બજેટમાં સંભાવના છે કે કેટલીક નવી ટ્રેનો પણ દોડાવવાની જાહેરાત કરવામાં આવશે. તો રેલવેના સર્વરને સેટેલાઇટ સાથે જોડવામાં આવી શકે છે. જેથી રેલ યાત્રીઓને ટિકીટ બુક કરાવવામાં સરળતા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે પવન કુમાર બંસલ મંગળવારે સંસદમાં રેલ બજેટ રજૂ કરશે.