Succuss Story: રાકેશ ઝુનઝુનવાલાએ રુ. 5000ના રોકાણથી શરુ કરીને બનાવી 48 હજાર કરોડની સંપત્તિ
Rakesh Jhunjunwala: શેર બજારના દિગ્ગજ રોકાણકારોમાંના એક એવા દિવંગત રાકેશ ઝુનઝુનવાલાનુ નામ સહુ કોઈ જાણતા હશે, જેમણે સ્ટૉક માર્કેટમાં રોકાણ કરીને 48,000 કરોડ સુધીની સંપત્તિ કમાઈ લીધી.
તમને જણાવી દઈએ કે રાકેશ ઝુનઝુનવાલાએ 5000 રુપિયાના રોકાણ સાથે શરુઆત કરી હતી અને તેમના મૃત્યુ સમયે તેમની સંપત્તિ અંદાજે 5.8 બિલિયન અમેરિકી ડૉલર હતી.

વર્ષ 1985થો રોકાણની શરુઆત કરીને 2022માં પોતાના મૃત્યુ સુધીમાં ઝુનઝુનવાલાએ 48 હજાર કરોડ રુપિયાથી વધુની સંપત્તિ કમાઈ લીધી હતી. આ સંપત્તિના કારણે તેઓ દુનિયાના 438માં સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. આવો જાણીએ તેમણે આટલા પૈસા કેવી રીતે કમાયા.
રાકેશ ઝુનઝુનવાલાના પિતા ટેક્સ ઓફિસર હતા.પિતા પાસેથી શેર વિશે વાતો સાંભળીને શેરબજારમાં તેમનો રસ વધવા લાગ્યો. 1985માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા બાદ તેમણે શેરબજારમાં આવવાનું નક્કી કર્યું. જોકે, તેમના પિતાએ તેમને આ કામ માટે આર્થિક મદદ કરી ન હતી.
રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની કમાણીથી શેરબજારમાં રોકાણ શરૂ કર્યું. તેમણે ટાટા ટી કંપનીના 5,000 શેર 43 રૂપિયામાં ખરીદ્યા અને 143 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચ્યા. આ રોકાણ સાથે તેમના પૈસા ત્રણ ગણા વધી ગયા. ટાટા ટી કંપનીના શેરમાંથી શેરબજારમાંથી પ્રથમ નફો મેળવ્યો.
1986 અને 1989ની વચ્ચે, રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા પાવર લિમિટેડ સહિત બ્લુ-ચિપ કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું. આ રોકાણોને કારણે તેમની સંપત્તિ 20 લાખ રૂપિયાથી વધીને 50 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. શેરબજારમાં 100 લોકોમાંથી માત્ર 2 ટકા લોકો જ સફળ થાય છે. બાકીના રોકાણકારોને બજારમાં ભારે નુકસાન થાય છે. આવા લોકોએ રાકેશ ઝુનઝુનવાલાની વાત ચોક્કસ સાંભળવી જોઈએ.
રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણકારોને કહ્યું હતું કે એક દિવસના ઘટાડા કે એક ખરાબ ત્રિમાસિક પરિણામના આધારે કોઈ સ્ટૉક ખરીદી કે વેચી ના શકાય. તેઓ કંપનીના શેરમાં લાંબા ગાળાની કામગીરીના આધારે જ નાણાંનું રોકાણ કરે છે. તેઓ માનતા હતા કે શેરબજારમાં પૈસા લાંબા ગાળામાં જ બને છે, તેથી પરિપ્રેક્ષ્ય હંમેશા મોટો રાખવો જોઈએ. કોઈપણ કંપનીના શેરમાં રોકાણ કરતા પહેલા, વ્યક્તિએ તે કંપનીના વ્યવસાય અને સંભાવનાઓ વિશે યોગ્ય સંશોધન કરવું જોઈએ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
