નાણાકીય વર્ષ 2022-23માં મોંઘવારી દર 5.75 ટકા રહેવાનુ અનુમાનઃ RBI

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ આજે નાણાકીય વર્ષ 2022-23ની પોતાની પહેલી મૌદ્રિક નીતિનુ એલાન કર્યુ છે.

નવી દિલ્લીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ આજે નાણાકીય વર્ષ 2022-23ની પોતાની પહેલી મૌદ્રિક નીતિનુ એલાન કર્યુ છે. આ મૌદ્રિક નીતિમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જે રીતે દેશમાં મોંઘવારી પોતાના ચરમ પર છે તેને લઈને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ તરફથી કહેવામાં આવ્યુ છે કે અમારુ અનુમાન છે કે મોંઘવારી દર 5.75 ટકા રહેશે. વળી, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના એમડી અશ્વિની તિવારીએ કહ્યુ કે આરબીઆઈની નીતિ એવી જ રહી છે જેવી અપેક્ષા હતી. ઘણા એવા પગલાં લેવામાં આવ્યા છે જે નાણાકીય વ્યવસ્થાને મદદ આપશે.

inflation

સીપીઆઈ ઈંફ્લેશન નાણાકીય વર્ષ 23માં એપ્રિલ-જૂન 2022 6.3 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બરમાં 5 ટકા, ઓક્ટોબર-ડિસેમ્બરમામં 5.4 ટકા, જાન્યુઆરી-માર્ચમાં 2023 5.1 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છૂટક મોંઘવારી દર છેલ્લા 6.07 ટકા રહ્યો કે જે આઠ મહિનાના ઉચ્ચ સ્તરે છે. જાન્યુઆરી મહિનામાં મોંઘવારી દર 6.01 ટકા હતો. વળી, જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરી મહિનામાં બમણા અંકમાં પહોંચી ગયો અને તે 13.11 ટકા સુધી પહોંચ્યો. જાન્યુઆરી મહિનામાં તે 12.96 ટકા હતો. સૌથી વધુ મોંઘવારી ઈંધણ અને વીજળીમાં જોવા મળ્યો કે જે 31.50 ટકા સુધી પહોંચી ગયો.

છૂટક મોંઘવારીની વાત કરીએ તો ફેબ્રુઆરી 2021માં તે 5.03 ટકા રહ્યો હતો જ્યારે જૂન 2021માં તે 6.26 ટકા સુધી પહોંચી ગયો હતો. એનએસઓએ જે આંકડા જાહેર કર્યા હતા તે અનુસાર ખાદ્ય પદાર્થોની મોંઘવારી 5.89 ટકા સુધી પહોંચી ગઈ. ખાદ્ય પદાર્થોમાં અનાજની મોંઘવારી 3.95 ટકા, માંસ અને માછલી 7.54 ટકા, ઈંડાની મોંઘવારી 4.15 ટકા સુધી રહી. શાકભાજીની વાત કરીએ તો તે 6.13 ટકા, મસાલા 6.09 ટકા સુધી રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X