RBI ક્રેડિટ પોલિસીમાં દરો યથાવત રાખી શકે છે
નવી દિલ્હી, 1 ડિસેમ્બર : બજારની નજર હવે કાલે આવનારી ક્રેડિટ પૉલિસી પર છે. ક્રેડિટ પૉલિસી પર એક ખાનગી બિઝનેસ ચેનલ સીએનબીસી બજારે બેંકર્સ પોલ કર્યો હતો, જેમાં 99% બેંકર્સનું માનવું છે કે રેપો રેટમાં બદલાવ નહીં થાય.
રેપો રેટમાં બદલાવ થશે કે નહી, આ સવાલના જવાબમાં 95% બેંકરોએ માન્યું કે કાલે આરબીઆઈ દરોમાં બદલાવ નહી કરે. જોકે 5% બેંકરોનું માનવું છે કે કાલે આરબીઆઈ દરોમાં 0.25%ની કટોકટી કરી શકે છે.
નાણાંકીય વર્ષ 2015માં રેપો રેટમાં કેટલો બદલાવ થશે? એવા સવાલના જવાબમાં 50% બેંકરોનું માનવું છે કે આ નાણાંકીય વર્ષમાં દરોમાં કોઈ બદલાવ નહી થશે. 45% બેંકરોના મુજબ નાણાંકીય વર્ષ 2015માં રેપો રેટમાં 0.25%ની કટોકટી થઈ શકે છે. જે 5% બેંકરોના મુજબ નાણાંકીય વર્ષ 2015માં રેપો રેટમાં 0.50%ની કટોકટી થઈ શકે છે.
પૉલિસી પર આરબીઆઈનો નજરિયો શું રહેશે આ સવાલના જવાબમાં 60% બેન્કરોનું કહેવું છે કે આરબીઆઈ આ પૉલિસીમાં નરમ વલણ અપનાવશે જ્યારે 5% બેન્કર માને છે કે આરબીઆઈ આ મુદ્દે પણ કડક જ રહેશે. જોકે 35% બેન્કરોનું એ પણ માનવું છે કે આરબીઆઈ 2 ડિસેમ્બરે આવનારી ક્રેડિટ પૉલિસીમાં તટસ્થ માર્ગ અપનાવશે.