ખુશખબર: RBIએ વ્યાજદરમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો
અર્થશાસ્ત્રીઓના અનુસાર આરબીઆઇ આગામી નિતિગત સમીક્ષામં રેપો દરમાં 0.25 ટકાનો કાપ મુકી શકે છે. પરંતુ મોંઘવારીના ખતરા અને વધતા જતા નુકસાનના કારણે ઘટાડાનો દર મર્યાદિત રહેશે. આ વર્ષે 29 જાન્યુઆરી પહેલાંની મુખ્ય નિતિગત દરોમાં 0.25 ટકાનો કાપ મુક્યો હતો. વ્યાવસાયિક બેંકો દ્રારા લેવામાં આવનારી ટૂંકાગાળાની ઉધારી પર વ્યાજ દર, એટલે કે રેપો દરમાં 0.25 કાપ મુકી 7.75 ટકા કરી દિધો અહતો અને આરબીઆઇ દ્રારા બેંકો પાસેથી લેવામાં આવેલ ટૂંકાગાળાની લોન પર વ્યાજ દર એટલે કે રિવર્સ રેપો દરમાં પણ 25 અંકોનો કાપ કરી તેને 6.75 ટકા કરી દિધો છે.
શું તમારી ઇએમઆઇ ઓછી થશે ? આ પ્રશ્નનો જવાબ તમને આજે મળી જશે. આરબીઆઇ આજે વ્યાજદરોમાં કાપની જાહેરાત કરી શકે છે. જાણકારોને આશા છે કે આરબીઆઇ ઓછામાં ઓછો 0.25 ટકાના ઘટાડાની જાહેરાત કરી શકે છે. તેનો સીધો અર્થ એ થાય છે કે બેંકોને ઓછા દરે રિઝર્વ બેંક પાસેથી પૈસા મળી શકશે, ત્યારબાદ બેંકો પર પોતાના વ્યાજદરોમાં ઘટાડો કરવાનું દબાણ બનશે. જો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેને તો અડધા ટકાના કાપની માંગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 29 જાન્યુઆરી પહેલાંની મુખ્ય નિતિગત દરોમાં 0.25 ટકાનો કાપ મુક્યો હતો. વ્યાવસાયિક બેંકો દ્રારા લેવામાં આવનારી ટૂંકાગાળાની ઉધારી પર વ્યાજ દર, એટલે કે રેપો દરમાં 0.25 કાપ મુકી 7.75 ટકા કરી દિધો અહતો અને આરબીઆઇ દ્રારા બેંકો પાસેથી લેવામાં આવેલ ટૂંકાગાળાની લોન પર વ્યાજ દર એટલે કે રિવર્સ રેપો દરમાં પણ 25 અંકોનો કાપ કરી તેને 6.75 ટકા કરી દિધો છે. જ્યારે સીઆરઆર ચાર ટકા થઇ ગયો હતો.
આરબીઆઇના પૂર્વ ગવર્નર અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન રંગરાજને કહ્યું હતું કે આરબીઆઇને હવે વિકાસ દર પર ફોકસ કરવાની જરૂર છે. વર્ષ 2013-14 માટે વિકાસ દરના અનુમાનને 6.5 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દેવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિકાસને ગતિ આપવા માટે આરબીઆઇ પણ જરૂરી પગલાં ભરશે.