RBI ગવર્નર રઘુરામ રાજનને ડચીસ બેંક પ્રાઇસ
ફ્રેંકફર્ટ, 27 સપ્ટેમ્બર : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનને ફાઇનાન્શિયલ ઇકોનોમિક્સ 2013 માટે પાંચમો ડચીસ બેંક પ્રાઇસ મળ્યું છે. આ પુરસ્કાર તેમને વિશ્વભરની ફાઇનાન્શિયલ અને મેક્રો ઇકોનોમિક પોલીસી પર અસર કરનારા તેમના સંશોધન કાર્ય બદલ આપવામાં આવ્યું છે.
ડચીસ બેંક ડોનેશન ફેંડ દ્વારા આપવામાં આવતા આ પ્રાઇસમાં 50,000 યુરોનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર સેન્ટર ફોર ફાઇનાન્શિયલ સ્ટડીઝ (સીએફએસ) દ્વારા ગોથ યુનિવર્સિટી ફ્રેન્કફર્ટ સાથે મળીને દર બે વર્ષે એનાયત કરવામાં આવે છે.
રઘુરામ રાજનને આ પુરસ્કાર ડચીસ બેંકના કો ચેરમેન જુર્જન ફિશનના હસ્તે એનાયત થયો હતો. ગુરુવાર 26 સપ્ટેમ્બરે આ પુરસ્કાર એનાયત કરતા તેમણે જણાવ્યું કે આ શ્રેણી માટે અમને રાજનથી વધારે શ્રેષ્ઠ દાવેદાર મળ્યો ન હતો.
નોધપાત્ર છે કે 37 દેશની વિવિધ સંસ્થાઓના 260થી વધારે નોમીનીમાંથી રાજનની પસંદગી કરવામાં આવી હતી. તેમાં અડધાથી વધારે નોમીની અમેરિકાના હતા.