RBIએ વ્યાજનો દર 8 ટકાએ યથાવત રાખ્યો
મુંબઇ, 1 એપ્રિલ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરી દીધી છે. આરબીઆઇએ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 8 ટકાએ યથાવત છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 7 ટકાએ યથાવત છે. જ્યારે સીઆરઆરમાં પણ કોઇ ફેરફાર કર્યા વિના 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
આરબીઆઇએ 7 અને 14 દિવસની ટર્મ રેપોથી મળી રહેલી રોકડીને વધારીને ડિપોઝિટના 0.75 ટકા કરી દીધા છે. જ્યારે દૈનિક રેપો રેટથી મળતી રોકડ ઘટાડીને ડિપોઝિટના 0.25 ટકા કરી દીધા છે. હવે પછી આરબીઆઇની નવી ક્રેડિટ પોલિસી 3 જૂનના રોજ જાહેર થશે.

આરબીઆઇના જણાવ્યા અનુસાર તેમનો હેતુ મોંઘવારી ઘટાડવાનો છે. આગામી જાન્યુઆરી સુધીમાં મોંઘવારી દર 8 ટકા સુઘી લાવવાનું લક્ષ્ય છે. જ્યારે નાણાકીય વર્ષ 2015-16માં વૃદ્ધિદર 5થી 6 ટકા રહેવાની આશા છે.
આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે નવા બેંકિંગ લાયસન્સ આપ્યા બાદ આરબીઆઇ ઓન ટેપ લાઇસન્સનું કામ કરશે. આ સાથે ડિફરન્શીયલ બેંક લાયસન્સ પર પણ કામ થશે. આ સાથે બેંકો વચ્ચેના વિલિનીકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
