RBI Monetary Policy: લોન લેનારા લોકોને મોટી રાહત, રેપો રેટ 6.5 ટકા પર યથાવત
RBI Monetary Policy: રિઝર્વ બેંકે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે. નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
રેપો રેટ માત્ર 6.5 ટકા જ રાખવામાં આવ્યો છે. RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 5 જૂનના રોજ શરૂ થઈ હતી. ત્રણ દિવસની બેઠક બાદ આજે RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.
નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકની ટોચની પ્રાથમિકતા ગ્રાહકોની સુરક્ષા છે. સંપત્તિ અને લોન વચ્ચે ન્યાયપૂર્ણ સંતુલન જાળવવું જોઈએ.
શક્તિકાંત દાસે બેન્કિંગ સિસ્ટમ પર જણાવ્યું હતું કે, બેન્કિંગ સિસ્ટમ મજબૂત અને લવચીક છે. નફો વધ્યો છે. જ્યારે એનબીએફસીએ નાણાકીય વર્ષ 2024માં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.
આ અગાઉ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આરબીઆઈ આ વખતે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. એસબીઆઈએ તેના સંશોધન પેપરમાં કહ્યું હતું કે, આરબીઆઈ તેનું તટસ્થ વલણ જાળવી રાખશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યે મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી. એવું માનવામાં આવે છે કે, આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે, તે તેને 6.5 ટકા જ રાખશે, જેથી દેશના વિકાસની ગતિ ચાલુ રહે.
દેશમાં મોંઘવારી દર 4.83 ટકાના 11 મહિનાના સૌથી નીચા સ્તરે છે. RBIની નિર્ધારિત મર્યાદા મુજબ ફુગાવાનો દર 2-6 ની વચ્ચે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ સામાન્ય ચૂંટણી પછી પ્રથમ વખત વ્યાજ દરોની જાહેરાત કરી છે.
નવી સરકારની રચના બાદ સરકાર બજારમાં તરલતા વધારવાનો પ્રયાસ કરી રહી છે, તેથી RBI આ દિશામાં પગલાં ભરવાનો પ્રયાસ કરી રહી છે.
મોંઘવારી દર આરબીઆઈ દ્વારા નિર્ધારિત રેન્જમાં હોવા છતાં, ઉત્પાદનોની કિંમતો ખૂબ નિયંત્રણમાં નથી, તેથી આ અંગે પણ રિઝર્વ બેંક દ્વારા કોઈપણ નિર્ણય લેવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
