RBI Monetary Policy: RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કર્યો વધારો, હવે વધશે EMI
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ આજે આ વર્ષની પોતાની પહેલી મૌદ્રિક નીતિનુ એલાન કરી શકે છે.
RBI Monetary Policy: રિઝર્વ બેંકે આજે આ વર્ષની પોતાની પહેલી મૌદ્રિક નીતિનુ એલાન કરી દીધુ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મૌદ્રિક નીતિનુ એલાન કરીને કહ્ય કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવે છે. આ સાથે જ રેપો રેટ 6.5 ટકા થઈ ગયા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે આગલા નાણાકીય વર્ષ 2023-24માં જીડીપીની ગતિ 6.4 ટકા રહેવાની આશા છે.

પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 7.8 ટકા, બીજા ત્રિમાસિકમાં જીડીપી 6.2 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી 6 ટકા અને ચોથા ત્રિમાસિકમાં જીડીપી 5.8 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2024માં મોંઘવારી દર 6.5 રહેવાનુ અનુમાન છે. આ સાથે બેન્ચમાર્ક વ્યાજ દરમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં આરબીઆઈએ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે ટૂંકા ગાળાના ધિરાણ દરમાં 225 પોઈન્ટનો વધારો કર્યો હતો.
છૂટક ફુગાવાના દર વિશે વાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આગાહી કરી છે કે ચોથા ત્રિમાસિક સુધી તે સરેરાશ 5.6 ટકા રહી શકે છે. ગવર્નરે કહ્યુ કે અમે વર્તમાન નાણાકીય સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. આરબીઆઈએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જે હવે 6.75 ટકા છે.
તમને જણાવી દઈએ કે રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય કોમર્શિયલ બેંકોને લોન આપે છે. આ સ્થિતિમાં, જ્યારે પણ રેપો રેટમાં વધારો થાય છે, ત્યારે અન્ય બેંકો માટે લોન લેવી મોંઘી થઈ જાય છે. બેન્કોને રિઝર્વ બેન્ક પાસેથી ઊંચા વ્યાજ દરે નાણાં મળે છે, જેના કારણે બેંકો લોકોને મોંઘા વ્યાજ દરે લોન આપે છે. મોંઘા વ્યાજ દરોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે અને લોકોની EMI વધે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
