RBI Monetary Policy: લોનધારકો માટે રાહતના સમાચાર, RBIએ યથાવત રાખ્યો રેપો રેટ
RBI Monetary Policy: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. RBI દ્વારા સતત 9મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ પહેલાની જેમ 6.5 ટકા પર યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, ફુગાવો હજુ પણ આરબીઆઈ માટે પ્રાથમિક ચિંતાનો વિષય છે. આરબીઆઈએ મોંઘવારી દરને 4 ટકા પર રાખવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ મોંઘવારી દર હજુ પણ તેનાથી વધુ છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025 માટે ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જૂનમાં છૂટક ફુગાવો 5.08 ટકાના ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

અત્રે નોંધનીય બાબત છે કે, મોનેટરી પોલિસી કમિટી (MPC) દર બે મહિને મળે છે, અને RBI ગવર્નર દ્વારા આ બેઠકોના ત્રીજા દિવસે રેપો રેટ પર નિર્ણયની જાહેરાત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રેપો રેટ મહત્વપૂર્ણ છે. કારણ કે, રેપો રેટ અન્ય બેંકોને આપવામાં આવેલી લોન પર કેન્દ્રીય બેંક દ્વારા વસૂલવામાં આવે છે. તે અર્થતંત્રમાં ફુગાવા અને નાણાંના પ્રવાહને અસર કરે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
