RBI MPC Outcome : RBI ની નવી મૉનેટરી પોલીસી જાહેર, જાણો રેપો રેટની સ્થિતી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે નવી નાણાકીય નીતિની જાહેરાત કરી છે. આમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે, આ છઠ્ઠી વખત છે જ્યારે RBIની MPC કમિટીની બેઠકમાં રેપો રેટ બદલાયો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ 2024-25 માટે GDP દર 7 ટકા વધી શકે છે.

RBI

રેપો રેટ શું છે?
રેપો રેટ એટલે કે રિવર્સ રેપો રેટ, એટલે કે વ્યાજ દર કે જેના પર આરબીઆઈ ટૂંકા ગાળા માટે કોમર્શિયલ બેંકોને નાણાં ધિરાણ આપે છે. રેપો રેટ હેઠળ બેંકો RBI પાસેથી NDTL ના 1% સુધી નાણા ઉછીના લઈ શકે છે.

જણાવી દઈએ કે અમેરિકન ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીને શક્તિકાંતને વિશ્વના શ્રેષ્ઠ બેંકર ગણાવ્યા હતા. શક્તિકાંત દાસનો જન્મ 26 ફેબ્રુઆરી 1957ના રોજ તમિલનાડુમાં થયો છે. તે 1980 બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારી છે.

તેઓ હાલમાં ભારતીય રિઝર્વ બેંકના 25મા ગવર્નર તરીકે સેવા આપે છે. IAS દરમિયાન તેમણે ભારત અને તમિલનાડુ સરકાર માટે વિવિધ હોદ્દા પર કામ કર્યું છે.

MPCની બેઠકમાં રેપો રેટ સ્થિર રાખવાના નિર્ણય બાદ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 204 પોઈન્ટ અને નિફ્ટીમાં 45 પોઈન્ટનો ઘટાડો થયો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તે ભારતની તમામ બેંકોની ઓપરેટર છે, જેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. પહેલા આરબીઆઈની હેડ ઓફિસ કોલકાતામાં હતી પરંતુ બાદમાં તેનું સેન્ટ્રલ ઓફિસ મુંબઈ બની ગયું. અહીં આરબીઆઈ ગવર્નર બેસે છે અને નીતિઓની ચર્ચા થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X