સોનાની ખરીદી પર લાગી શકે છે પ્રતિબંધ

gold
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) સોનાની વધતી જતાં માંગને ઓછી કરવા માટે જલદી તેના વેચાણ પર પ્રતિબંધ લાગી શકે છે. જો કે આ પ્રતિબંધ બેંકો સુધી જ સિમિત રહેશે. આરબીઆઇના આ પગલાં બાદ લોકો બેંકો પાસેથી સોનું ખરીદી શકશે નહી. આવા સમયે સોનાની ખરીદી કરનારાઓની મુશ્કેલીમાં વધારો થશે.

રેકોર્ડ સ્તર પહોંચી રહેલા ચાલુ ખાતા નુકસાનને જોતાં ભારતીય રિઝર્વ બેંક આગામી દિવસોમાં બેંકો દ્રારા ખરીદવામાં સોના પર અત્યાધિક જરૂરી પરિસ્થિઓમાં આંશિક પ્રતિબંધ લગાવી શકે છે. સરકાર અને આરબીઆઇનું માનવું છે કે સોનાની આયાતના કારણે દેશમાં આયાત-નિકાસ અસંતુલન વધી રહ્યું છે જેનાથી ચાલુ ખાતામાં સંકટ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે એવામાં તેને નિયંત્રણમાં કરવા માટે ઠોસ પગલાં ભરવા જરૂરી થઇ ગયા છે.

આરબીઆઇએ પણ સોનાની ખરીદીને હતોત્સાહિત કરવા માટે બેંકોને સોના સાથે સંકળાયેલી વિત્તિય ઉત્પાદોના વેચાણના આદેશ આપ્યાં છે તથા બેંકો દ્રારા સોનાના બદલામાં વ્યાજ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ એમ માનવામાં આવે છે કે તેમછતાં પરિસ્થિતી પર કાબૂ મેળવી શકાતો નથી આવા સમયે સોનાની આયાત પર અંકુશ લગાવવાના તમામ વિકલ્પ ખુલ્લા રાખવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X