RBI 4 જૂનથી ફુગાવા આધારિત બોન્ડ વેચશે

રીઝર્વ બેન્ક દ્વારા પ્રથમ ચરણમાં 4 જૂન, મંગળવારના રોજ રૂપિયા 1000 કરોડના બોન્ડ વેચવામાં આવશે. માર્ચના અંત સુધીમાં વધુ રૂપિયા 15,000 કરોડના બોન્ડ વેચવામાં આવે એવો અંદાજ છે. લાંબાગાળાનું સલામત રોકાણ ઇચ્છતા લોકો તથા બેંકો સિકયુરીટી માટે રોકતા નાણા બોન્ડમાં રોકે એવી સંભાવના અત્યારે જણાય રહી છે. મુલ્ય અને તરલતાના મુદે આ બોન્ડ લોકોને આકર્ષવામાં ખુબ ઠંડા સાબીત થયા હતા.
સર્વેક્ષણ અનુસાર રોકાણકારોને 10 વર્ષના ફુગાવા આધારિત પ્રથમ ચરણના બોન્ડમાં 1.25 થી 2 ટકા જેટલુ વળતર મળવાની સંભાવના છે. સરકારના સામાન્ય બોન્ડમાં વધારે વ્યાજ મળતું હોય છે. પાંચ વર્ષના બોન્ડમાં આશરે 2.5 ટકા જેટલુ વળતર મળવાની સંભાવના છે.
ઓછા વળતરને લીધે નવા સપ્તાહમાં બોન્ડને બેન્કો તથા વિદેશી રોકાણકારોનો નબળો પ્રતિસાદ મળવાની સંભાવના છે. વિશ્લેષકો કહે છે કે, બોન્ડ એક સારૂ સાધન છે. પણ બહુ જટીલ એવા ગ્રાહકો માટે જ તે સફળ થઇ શકે. ફુગાવાનો દર વર્તમાન સમયે ઘટી રહ્યો છે એટલે લોકો સામાન્ય બોન્ડ તરફ વળી જવાનુ પસંદ કરશે.
સરકારનું એવુ માનવું છે કે કેટલાક લોકો બોન્ડ તરફ આકર્ષાય તો પણ સોનાની આયાતમાં ઘટાડો થશે અને એના વડે ચાલુ ખાતાની તોતીંગ ખાદ્ય પુરવામાં થોડી રાહત મળશે. બોન્ડનું આકર્ષક ભાવે વેચાણ થાય એ માટે રીઝર્વ બેન્કે સીધા લોકોને વેચવાના સ્થાને ધંધાદારી રોકાણકારોને વેચવાનુ પસંદ કર્યુ છે. ધંધાકીય રોકાણકારો પ્રથમ હરાજીમાં ઓછા ભાગ લેશે એવુ જણાય છે. કારણ કે એ પુર્વે સૌ જથ્થાબંધ ફુગાવાનો આંક જાહેર થાય એ જોવાનુ પસંદ કરશે. જે અત્યારે સરેરાશ 7.3 ટકા જેટલો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
