નાના ભાઇને મુસીબતમાંથી ઉગારવા મુકેશ અંબાણીએ લંબાવ્યો હાથ
અનિલ અંબાણીની મદદ માટે આગળ આવ્યા મુકેશ અંબાણી અનિલ અંબાણીની કંપની આરકોમ મુકેશ અંબાણીની કંપની સાથે કર્યો કરાર આ અંગે વધુ વાંચો અહીં...
ઉધારમાં ડૂબેલા રિલાયન્સ કમ્યુનિકેશન્સના માલિક અનિલ અંબાણી હવે પોતાના ઉધારનો બોજો ઓછો કરવામાં વ્યસ્ત છે. 45,000 કરોડના ઉધાર હેઠળ દબાયેલા અનિલ અંબાણીને મુસીબતમાંથી ઉગારવા માટે મોટા ભાઇ મુકેશ અંબાણીએ હાથ લંબાવ્યો છે. અનિલ અંબાણીની કંપની જિયો સાથે કરાર કરી પોતાનો બોજો હળવો કરશે. આ હેઠળ આરકોમે પોતાના વાયરલેસ વેપાર વેચવા માટે રિલાયન્સ જિયો સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરાર હેઠળ જિયો આરકોમ પાસેથી ટાવર, ફાયબર અને એમસીએન બિઝનેસનું હસ્તાંતરણ કરશે. હવે બોલી બાદ બંને કંપનીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. કરારમાં થયેલ સમજૂતી હેઠળ આરકોમ અને તેના સહયોગીઓ પાસેથી ચાર શ્રેણીઓ હેઠળ સંપત્તિઓનું હસ્તાંતરણ કરવામાં આવશે. આ હસ્તાંતરણ સરકારી અને નિયમનકારી મંજૂરીઓ સાથે-સાથે તમામ કરજદારો અને શેરધારકોની સંમતિથી થયો છે. ઉલ્લેખનીય છે કે, અનિલ અંબાણીએ વાયદો કર્યો હતો કે, તેઓ વર્ષ 2018માં પોતાના ઉધારના બોજને 25,000 કરોડ ઓછું કરી લેશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
