નાના ભાઇને મુસીબતમાંથી ઉગારવા મુકેશ અંબાણીએ લંબાવ્યો હાથ
અનિલ અંબાણીની મદદ માટે આગળ આવ્યા મુકેશ અંબાણી અનિલ અંબાણીની કંપની આરકોમ મુકેશ અંબાણીની કંપની સાથે કર્યો કરાર આ અંગે વધુ વાંચો અહીં...
ઉધારમાં ડૂબેલા રિલાયન્સ કમ્યુનિકેશન્સના માલિક અનિલ અંબાણી હવે પોતાના ઉધારનો બોજો ઓછો કરવામાં વ્યસ્ત છે. 45,000 કરોડના ઉધાર હેઠળ દબાયેલા અનિલ અંબાણીને મુસીબતમાંથી ઉગારવા માટે મોટા ભાઇ મુકેશ અંબાણીએ હાથ લંબાવ્યો છે. અનિલ અંબાણીની કંપની જિયો સાથે કરાર કરી પોતાનો બોજો હળવો કરશે. આ હેઠળ આરકોમે પોતાના વાયરલેસ વેપાર વેચવા માટે રિલાયન્સ જિયો સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ કરાર હેઠળ જિયો આરકોમ પાસેથી ટાવર, ફાયબર અને એમસીએન બિઝનેસનું હસ્તાંતરણ કરશે. હવે બોલી બાદ બંને કંપનીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. કરારમાં થયેલ સમજૂતી હેઠળ આરકોમ અને તેના સહયોગીઓ પાસેથી ચાર શ્રેણીઓ હેઠળ સંપત્તિઓનું હસ્તાંતરણ કરવામાં આવશે. આ હસ્તાંતરણ સરકારી અને નિયમનકારી મંજૂરીઓ સાથે-સાથે તમામ કરજદારો અને શેરધારકોની સંમતિથી થયો છે. ઉલ્લેખનીય છે કે, અનિલ અંબાણીએ વાયદો કર્યો હતો કે, તેઓ વર્ષ 2018માં પોતાના ઉધારના બોજને 25,000 કરોડ ઓછું કરી લેશે.