RBIએ રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ વધારીને 5.9% કર્યો
શુક્રવારે RBIએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.9% કરી દીધો છે.
નવી દિલ્લીઃ શુક્રવારે RBIએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.9% કરી દીધો છે. ભારતીય રિઝર્વ બેંક(RBI)ની મૌદ્રિક નીતિ સમિતિએ આજે મોટી જાહેરાત કરીને રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ વધારીને 5.90 ટકા કરી દીધા જેની માહિતી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આપી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોરોના વાયરસ મહામારીના બે ઝટકા અને યુક્રેન યુદ્ધ બાદ હવે આપણે સહુ વધુ એક ઝટકાની વચ્ચે છીએ. આ વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા લાવવામાં આવેલી આક્રમક મૌદ્રિક નીતિયોના કારણે ઉત્પન્ન થયુ છે.
ભારતીય
રિઝર્વ
બેંક(આરબીઆઈ)
જરુર
પડવા
પર
કૉમર્શિયલ
બેંકોને
ફંડ
ઉધાર
આપે
છે
જેને
રેપો
રેટ
કહેવામાં
આવે
છે.
જેનાથી
કેન્દ્રીય
બેંક
મુદ્રાસ્ફીતિને
નિયંત્રિત
કરે
છે.
ચાલુ
નાણાકીય
વર્ષની
શરુઆત
બાદ
આ
ત્રીજો
વધારો
છે.
મુદ્રાસ્ફીતિના
દબાણમાં
કામ
કરવા
માટે
દરને
પૂર્વ-મહામારીના
સ્તરે
પાછો
લઈ
જવુ.
તમને
જણાવી
દઈએ
કે
આ
પહેલા
આરબીઆઈ
બેંકના
ગવર્નર
શક્તિકાંત
દાસની
અધ્યક્ષતાવાળી
છ
સભ્યોની
મૌદ્રિક
નીતિ
સમિતિએ
બુધવારે
દ્વિમાસિક
નીતિ
સમીક્ષા
પર
વિચાર-વિમર્શ
શરુ
કર્યો
હતો
ત્યારબાદ
આજે
આ
નિર્ણય
લેવામાં
આવ્યો
છે.
માનવામાં આવી રહ્યુ છે કે આરબીઆઈના આ પગલાંથી મોંઘવારી પર લગામ લાગશે. આરબીઆઈ તરફથી રેપો રેટમાં વધારો મોંઘવારી પર કાબુ મેળવવા માટે કરવામાં આવ્યો છે. જો કે, રેપો રેટમાં વધારાને તહેવારની સિઝનમાં એક ઝટકા તરીકે જોવામાં આવી રહ્યો છે. રેપો રેટ વધવાથી હોમ લોન, ઑટો લોન સહિત અન્ય લોન મોંઘી થશે. જેના કારણે લોકોની ઈએમઆઈમાં વધારો થઈ શકે છે.
RBI Governor Shaktikanta Das announces that RBI "increases the policy repo rate by 50 basis points to 5.9% with immediate effect." pic.twitter.com/YpDjOVsgus
— ANI (@ANI) September 30, 2022