આજથી બદલી શકાશે 2000 રુપિયાની નોટ, બેંકમાં જતા પહેલા વાંચી લો આ જરુરી વાતો
Rs. 2000 Currency Note: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી, જે બાદ બેંકોમાં 2000ની નોટના બદલામાં અન્ય નોટો વહેંચવાની પ્રક્રિયા આજથી શરૂ થવા જઈ રહી છે. 2000ની નોટ બદલવા માટે મોટી સંખ્યામાં લોકો બેંકમાં પહોંચશે એવુ માનવામાં આવે છે.
આ વસ્તુને ધ્યાનમાં રાખીને બેંકોએ વ્યવસ્થા કરી લીધી છે. બેંકોએ આ માટે એક ખાસ કાઉન્ટર તૈયાર કર્યુ છે, જ્યાં ગ્રાહકો તેમની રૂ. 2000ની નોટ બદલી શકશે અને તેના બદલે અન્ય નોટો લઈ શકશે.

બેંકોમાં 2000 રૂપિયાની નોટો બદલવા આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમની લાઈનોનુ સંચાલન કરવા માટે વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે આરબીઆઈએ શુક્રવારે જાહેરાત કરી હતી કે 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં રહેશે નહીં, તેથી તેને બદલવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે અને આ પ્રક્રિયા સપ્ટેમ્બર મહિના સુધી ચાલુ રહેશે.
2000 રૂપિયાની નોટ કોઈપણ આઈડી કાર્ડ કે સ્લિપ ભર્યા વગર બદલી શકાય છે. પરંતુ કેટલાક બેંક અધિકારીઓનું કહેવું છે કે તેઓ એવા લોકોને જ નોટ બદલવાની મંજૂરી આપશે જેઓ તેમના આઈડી કાર્ડ બતાવશે.
ઘણા રાજ્યોમાં, બેંકોએ આ માટે સ્થાનિક પોલીસની મદદ લીધી છે જેથી બેંકમાં આવતી ભીડને નિયંત્રિત કરી શકાય. બેંકો દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો બેંકમાં કોઈપણ પ્રકારની અભદ્રતા કરવામાં આવશે તો તેમની સામે પોલીસ કેસ નોંધવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં 12000 બેંકોની શાખાઓએ નિર્ણય લીધો છે કે તેઓ 2000 રૂપિયાની નોટો બદલવા માટે અલગ કાઉન્ટર બનાવશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના પ્રવક્તા અનિલ તિવારીએ જણાવ્યું હતું કે બેંકોને ભારે ભીડની અપેક્ષા નથી કારણ કે માત્ર 10 ટકા લોકો પાસે 2,000 રૂપિયાની નોટ છે.
જે લોકોએ બેંકમાં KY કર્યું છે તેઓ કોઈપણ નંબરની 2000 રૂપિયાની નોટો જમા કરાવી શકે છે. બીજી તરફ જન ધન ખાતામાં 10,000 રૂપિયા સુધીની માત્ર 2,000 રૂપિયાની નોટ જ જમા કરાવી શકાશે.
શર્માએ કહ્યું કે અમે લોકોને 2000 રૂપિયાની નકલી નોટ ન લાવવાની અપીલ કરીએ છીએ, આવા લોકો સામે FIR દાખલ કરવામાં આવશે. બેંકમાં નકલી નોટોને રોકવા માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારે લખનઉની બેંકોમાં 2000 રુપિયાના 90 કરોડ રૂપિયા કેશ જમા થયા છે.












Click it and Unblock the Notifications
