કોરોના સંકટમાં RBIએ હેલ્થ સેક્ટરને આપ્યા 50 હજાર કરોડ રૂપિયા, અર્થવ્યવસ્થાને મળશે મજબૂતી
RBIએ કોરોના સાથે સંબંધિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ માટે 50 હજાર કરોડ રૂપિયાના ફંડની ઘોષણા કરી છે.
નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે ઘણા રાજ્યોમાં લૉકડાઉન લાગેલુ છે. સાથે જ કોરોના મહામારીની અસર હેલ્થ સિસ્ટમ પર પણ ખરાબ રીતે પડી છે. એવામાં RBIએ કોરોના સાથે સંબંધિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ માટે 50 હજાર કરોડ રૂપિયાના ફંડની ઘોષણા કરી છે. હેલ્થ સેક્ટરને આ રકમ માર્ચ 2022 સુધી માટે મળશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે કોરોના સંકટમાં જરૂરિયાતને જોતા ઈમરજન્સી હેલ્થ સેવાઓ માટે 50000 કરોડની લોન આપવાની ઘોષણા કરવામાં આવી રહી છે.













Click it and Unblock the Notifications
